તાંઝાનિયામાં બે બસ વચ્ચે ટક્કરમાં ૩૮ લોકોના મોત થયા મોરબીની પીપળીયા ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ, ગુનો નોંધાતા તપાસ શરૂ મોરબીના બેલા નજીક અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબી: ઝાડા ઉલટી થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં મોરબીના કાર્યકર્તાઓએ હાજર રહ્યા કચ્છથી મોરબી આવેલ બોલેરો ગાડીમાં ગૌવંશ હોવાની બાતમી આધારે વાહન ચેક કરવા ગયેલ ગૌરક્ષકો ઉપર ખાટકીવાસમાં ધોકા, પાઇપ અને તિક્ષણ હથિયાર વડે હુમલો મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ધંધો બરોબર ચાલશે તેવું કહીને વિધિના નામે 3.30 લાખની છેતરપિંડીના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE















મોરબીમાં ધંધો બરોબર ચાલશે તેવું કહીને વિધિના નામે 3.30 લાખની છેતરપિંડીના ગુનામાં બે આરોપીની ધરપકડ

મોરબીના સનાળા ગામે રહેતા યુવાનને ધંધો રોજગાર બરાબર ચાલશે તેમ કહીને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની પાસેથી સોનાની ચેનસોનાની બુટ્ટીસોનાની વીંટી તેમજ રોકડા રૂપિયા આમ કુલ મળીને 3.30 લાખ રૂપિયાના મુદામાલનો વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના સનાળા ગામે રહેતા ભરતભાઈ નરશીભાઈ સનારીયા (39)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિલેશગીરી ઉર્ફે નવીનગીરી મોતીગીરી ગોસાઈ રહે. સનાળા ગામ રામજી મંદિર પાસે મોરબી વાળા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, આશરે બે મહિના પહેલા આરોપીએ ફરિયાદીને ધંધો રોજગાર બરાબર ચાલશે તેમ કહીને તેને વિશ્વાસમાં લીધા હતા અને વિધિ કરાવવાના બહાને તેની પાસેથી સોનાની એક અઢી તોલાની ચેન, સોનાનો કાપ અડધા તોલાનો, સોનાની છ નંગ બુટ્ટી અને સોનાની બે વીંટી તે ઉપરાંત રોકડા રૂપિયા 50,000 આમ કુલ મળીને 3.30 લાખનો મુદ્દામાલ લીધેલ હતો અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ એચ.આર.જાડેજા તથા રાઇટર ભવિનભાઇ ગઢવી દ્વારા આરોપી નિલેશગીરી ઉર્ફે નલિનગીરી મોતીગીરી ગોસાઈ જાતે બાવાજી (55) રહે. સનાળા રામજી મંદિર પાછળ મોરબી હાલ રહે. રાસંગપુર તાલુકો મુળી જિલ્લો સુરેન્દ્રનગર તથા ચંદ્રસિંહ બટુકભા ઝાલા જાતે દરબાર (43) રહે સનાળા તાલુકો મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે.




Latest News