મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી મહેન્દ્રનગર ચોકડી ઓવરબ્રીજનું અધુરું કામ પૂરું કરવા સીએમને રજૂઆત


SHARE













મોરબી મહેન્દ્રનગર ચોકડી ઓવરબ્રીજનું અધુરું કામ પૂરું કરવા સીએમને રજૂઆત

મોરબી મહેન્દ્રનગર ચોકડી છેલ્લા ઘણા વર્ષોથી ઓવરબ્રીજનું કામ ચાલુ કરવામાં આવ્યું છે જો કે, આ અધુરું કામ પૂર્ણ કરવા આવતું જ નથી જેથી કરીને ટંકારાના વીરપર ગામે રહેતા સામાજિક કાર્યકરે સીએમને લેખિત રજૂઆત કરીને કામને વહેલી તકે પૂરું કરવામાં આવે તેવી માંગ કરી છે.

વીરપર ગામે રહેતા સામાજિક કાર્યકહસમુખભાઈ ગઢવીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને જે રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મહેન્દ્રનગર ચોકડી ઓવરબ્રીજનું કામ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યું છે જો કે, અધુરું કામ પૂરું કરવામાં આવતું નથી જેથી કરીને ત્યાં સતત ધૂળની ડમરીઓ ઊડતી હોય છે અને સિરામિક ઉદ્યોગનો ટ્રાફિક ત્યાં હોવાથી વાહન ચાલકો પણ હેરાન થઈ ગયેલ છે. અને આ ચોકડી જેતપર તેમજ હળવદ સુધી આવતા જતાં વાહનો માટેનો મુખ્ય રસ્તો છે જેથી મહેન્દ્રનગર ચોકડીથી આવતા જતાં વાહન ચાલકો સહિતના લોકો ત્રાહિમામ પોકારી ગયેલ છે ત્યારે ઓવરબ્રીજની ડિઝાઈનમાં ફેરફાર કરવો, સ્પાનની સંખ્યા વધારી બંધ ઓવરબ્રીજની કામગીરી સત્વરે પૂરું કરવામાં આવે તેવી માંગ કરી છે. 






Latest News