મોરબીમાં ઉકાળાનું વિનામુલ્યે વિતરણ
SHARE








મોરબીમાં ઉકાળાનું વિનામુલ્યે વિતરણ
મોરબીના સેવાભાવી વૈદ્યરાજ કિશોરભાઈ વાણંદ દ્વારા તેમના માતૃશ્રી સ્વ.જયાબેન મુળજીભાઈ દશાડિયાના સ્મરણાર્થે તા.૨૫-૧૧ થી તા. ૨૫-૨ સુધી સવારે ૬-૩૦ થી ૮ સુધી વિજય હેર ડ્રેસર, ચકિયા હનુમાનજીના મંદીર સામે, રવાપર રોડ, મોરબી ખાતે આરોગ્યવર્ધક ઉકાળાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે.
આ ઉકાળો વનસ્પતિમાંથી બનાવવામાં આવેલ છે.આ ઉકાળો અસાધ્ય રોગો જેવા કે, જુની શરદી, ચિકનગુનિયા, ડેંગ્યુ, કોરોના જેવા અસાધ્ય રોગોમાં રામબાણ ઇલાજ હોય, જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.વધુ માહીતી માટે કિશોરભાઇ વાણંદ નિરામય, ચકીયા હનુમાન મંદિર સામે, રવાપર રોડ, મોરબી (મો. ૯૬૨૪૦ ૧૨૪૭૪) નો સંરક્ક કરવો.
