મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા પ્રબુદ્ધજનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો


SHARE













ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા પ્રબુદ્ધજનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

आ नो भद्रा क्रतवो यन्तु विश्वतः ના વિચારને કેન્દ્રસ્થાને રાખી વિવિધ પ્રકારના કાર્યક્રમો માટે જાણીતા સંગઠન ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં પ્રબુદ્ધજનોની ભૂમિકા વિષય ઉપર એક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ડો.કૃષ્ણ ગોપાલજીએ ઉપસ્થિત રહી વિષયની પ્રસ્તાવના મુકી હતી.આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો.જયંતિભાઈ ભાડેસીઆ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીમાંથી પસંદ કરેલા વિવિધ ઉધોગપતિઓ, ડોક્ટરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને શાળા કોલેજના સંચાલકો તથા પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ડો કૃષ્ણ ગોપાલજીએ ઉપભોગતાવાદના સમયમાં આર્થિક ઉપાર્જનની સાથે સમાજ ઉપયોગી કે રાષ્ટ્ર ઉપયોગી કાર્યો કઈ રીતે કરવા, અહં નહીં વયંનો ભાવ તથા કુટુંબ પ્રબોધન, ભારતીય સંસ્કાર પરંપરા સહિતના મુદાઓ ઉપર હ્રદયસ્પર્શી તેમજ રસપૂર્ણ શૈલીમાં સંવાદ પ્રસ્થાપિત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય વિચાર મંચના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News