મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા ગામે થયેલ લેન્ડ ગ્રેબિંગના કેસમાં આરોપીનો જામીન પર છુટકારો


SHARE













મોરબીના બરવાળા ગામે થયેલ લેન્ડ ગ્રેબિંગના કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબી તાલુકાનાં બરવાળા ગામે ખેતીની જમીનમાં કબ્જો કરીને વાવેતર કર્યું હતું જેથી કરીને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરેલ હતી જે ગુનામાં પકડાયેલા બે આરોપીના જામીન માટેની અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.

મોરબી તાલુકાનાં બરવાળા ગામની ખેતીની જામીન સર્વે નં.84 પૈકી 1 વાળી ખેતીની જમીન રવાપરના રહેવાસી મગનભાઈ થોભણભાઈ ભાલોડીયાએ સને 2022 માં વેચાણ લીધેલી હતી તે ખેતીની જમીનમાં બરવાળા ગામના રાતભાઈ દેવાભાઇ અને રણછોડભાઈ જીવનભાઈએ ફરિયાદીની જમીનમાં કબ્જો કરી વાવેતર કર્યું હતું અને આરોપીએ કબ્જો ખાલી ન કરતા ફરિયાદી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરેલ હતી તે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ થયેલ હતી અને આરોપીતેના વકીલ મારફતે મોરબીની સ્પેશ્યલ લેન્ડ ગ્રેબિંગ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી જેમાં આરોપી તરફે તેમના વકીલ દ્વારા કરેલ દલીલ ધ્યાને રાખીને આરોપીને શરતી જામીન મંજુર કર્યા છે આ કેસમાં આરોપીઓ તરફે મોરબીના સિનિયર વકીલ જીતેન્દ્રસિંહ આર જાડેજા (જીતુભા) અને મયુર પુજારા રોકાયેલ હતા.






Latest News