મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રાથમિક સુવિધાના જ ફાંફા !?: રમેશભાઈ રબારી


SHARE











મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રાથમિક સુવિધાના જ ફાંફા !?: રમેશભાઈ રબારી

મોરબી શનાળા રોડ બાયપાસ પર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના વસાહતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી પીવાનું પાણી આવેલ નથી ઉપરાંત આવાસમાં સોલાર લાઈટો છે તે પણ બંધ છે અને આવાસ યોજના વસાહત પાસે એક ભયાનક વોંકળો આવેલ છે જેના કારણે ભારે ગંદકી ફેલાય છે અને માંખી-મચ્છરનો ત્રાસ છે જેથી લોકો માંદા પડે તેવી શક્યતા છે આ મુદે રમેશભાઈ રબારી દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે

તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબી શનાળા રોડ બાયપાસ પર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મુશ્કેલીઓ દુર થાય, વોંકળાની સફાઈ થાય તેવો પ્રબંધ કરી વસાહતીઓની સુવિધા ઉપલબ્ધ થાય તે અત્યંત જરૂરી છે. તાજેતરમાં ફરી વખત કોરોના વ્યાધિ રવાપર સહિતનાં વિસ્તારોમાં હોય આ વિસ્તારમાં જરૂરી લોકહિતના પગલા લેવાની માલધારી આગેવાને માંગ કરેલ છે. આ ઉપરાંત બાયપાસથી આવાસમાં જવા માટેના રસ્તાઓ પર લાઈટની સુવિધા નથી ભયાનક અંધકાર રહે છે લોકોને આવન જાવનની મુશ્કેલી છે અને આ રસ્તા પર દારૂડીયાઓ મહેફીલ જમાવી બેસે છે ! વસાહતીઓને આવવુ-જવુ મુશ્કેલ છે અને બેન-દીકરીઓ નિકળી શકતા નથી તેમજ આ રોડ કાચો અને ઉબડખાબડ છે જેથી બાયપાસથી આવાસ યોજના સુધીનાં રસ્તાને સિમેન્ટ રોડ બનાવવો અત્યંત જરૂરી છે જેથી વસાહતીની મુશ્કેલી દુર થાય. આવાસ યોજનામાં આંગણવાડી ચાલુ થયેલ છે તેમાં આવાસ યોજનાના બાળકોને પ્રવેશ આપવામાં આવતો નથી અને બહારના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે તે બાબતે પણ યોગ્ય કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સમિતિના પુર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ માંગ કરેલ છે.






Latest News