હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીના ગાંધીબાગમાં સ્વચ્છતા ઝુંબેશના ધજાગર થતાં હોવાની સીએમને રજૂઆત


SHARE













મોરબીના ગાંધીબાગમાં સ્વચ્છતા ઝુંબેશના ધજાગર થતાં હોવાની સીએમને રજૂઆત

મોરબીના ગાંધીબાગમાં મહાત્મા ગાંધીની પ્રતિમા વર્ષોથી મૂકવામાં આવેલ છે ત્યાં ચોમેર ગંદકી છે ત્યારે આ બાબતે રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને રજૂઆત કરેલ છે અને ત્યાં સફાઈ ન કરવામાં આવે તો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆતો કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબીમાં રહેતા કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને રજૂઆત કરેલ છે જેમાં તેમણે મોરબીને મહાપાલિકા બનાવવાના નિર્ણય માટે સરકારને ધન્યવાદ આપેલ છે અને વધુમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ગાંધીબાગમાં ગાંધીજીની પ્રતિમા મૂકવામાં આવેલ છે તેની ચોમેર ગંદકી છે ત્યા વાહનોનું પાર્કિગ કરવામાં આવે છે જો કે, ગંદકીનું સામ્રાજ્ય દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે વર્તમાન વડાપ્રધાન દ્વારા સ્વચ્છતા મિશનમાં પણ ગાંધીજીના ચશ્માં તથા ફોટાનો ઉપયોગ કરવામાં આવેલ છે. તો મોરબીમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે ગંદગીનું સામ્રાજ્ય છે તે કેમ અધિકારીઓને દેખાતું નથી ? હાલમાં મોરબી પાલિકામાં વહીવટદારનું શાસન  છે. અને હવે મહાપાલિકા બનેલ છે ત્યારે ગાંધીજીની પ્રતિમા પાસે સફાઈ કરવામાં આવે તેના માટે જરૂરી આદેશ કરવામાં આવે તેવી માંગ કરી છે. અને જો સફાઈ નહીં કરવામાં આવે તો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News