ટંકારાના લજાઈ ગામે ભાગમાં લીધેલ સમાનમાંથી બે પાટિયા માંગતા યુવાનને માર પડ્યો દંપતી ખંડિત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે કાર ચાલકે ફ્રૂટની લારીને ઉડાવતા પતિનું મોત, પત્ની સારવારમાં મોરબીના યુવાને ઓનલાઈન 100 કુર્તિ મંગાવતા કુરિયરમાં માત્ર એક ફોર્મલ પેન્ટ મોકલીને 15 હજારની છેતરપિંડી ! વાંકાનેરના બી.આર.સી. ભવન ખાતે પૂર્વ ટી.પી.ઈ.ઓ. અને પૂર્વ બી.આર.સી.કૉ.ઓ.નો વિદાય સમારોહ યોજાયો મોરબી: શ્રી જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ભરોસો નહીં કે..: મોરબીના SP વારંવાર DYSP ને સોંપેલી તપાસ આંચકી કેમ લે છે !?, પોલીસ બેડા-રાજકીય વર્તુળોમાં ગરમા ગરમ ચર્ચા ગૌરક્ષકો ઉપર હુમલનો મામલો: મોરબીના ખાટકીવાસમાં બનેલ બનાવમાં બંને પક્ષના પાંચ-પાંચ આરોપીને પકડાયા કચ્છ સાંસદ આયોજીત ક્રિકેટ ડે નાઇટ સીઝન-૩ ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન
Breaking news
Morbi Today

શેખપીરથી પાલારા જેલ સુધી બાયપાસ રોડ બનાવવા કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીજીને સાંસદ વિનોદભાઇ ચાવડાની રજૂઆત


SHARE















શેખપીરથી પાલારા જેલ સુધી બાયપાસ રોડ બનાવવા કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીજીને સાંસદ વિનોદભાઇ ચાવડાની રજૂઆત

લોકસભા સત્ર દરમ્યાન સડક પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નિતિનભાઈ ગડકરીજીની રૂબરૂ મુલાકાત લઈ ભીમાસર - અંજાર - ભુજ - ખાવડા - ધર્મશાળા સુધી નવ નિર્મિત બનતો નેશનલ હાઇવે નંબર ૩૪૧ ભુજ શહેરમાંથી પસાર થાય છે તેને શેખપીર થી પાલારા સુધી બાયપાસ રોડ બનાવવા માટે રજૂઆત કરી હતી. ત્યારે મંત્રી નિતિનભાઈ ગડકરીજીએ રજૂઆતની નોંધ લઈ વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે માટે સકારાત્મક અભિગમ દાખવેલ છે

વધુમાં સાંસદે જણાવ્યું હતું કે ૧૫૨ કી.મી નું રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૩૪૧ કચ્છ ભીમાસર - અંજાર - ભુજ - ખાવડા - ધર્મશાળા બનાવવાનું કાર્ય ચાલુમાં છે, જે ધોરીમાર્ગ ભુજ સીટી માંથી પસાર થાય છે, તેથી ઘર, ઇમારત, દુકાનો હટાવવા પડે, હજારો લોકો વિસ્થાપિત થાય, સડક સુરક્ષા સબંધી તકલીફો થાય તેમ છે. લોકોની ભલાઈ અને પ્રદુષણ ને રોકવા વૈકલ્પિક માર્ગ ને કારણે નિર્બોધ આવા જાહી થાય તે જરૂરી છે, બન્ની પશ્ચિમ, પાશી, ખાવડા ની સાથે ધર્મશાળા સુધી આ રોડ બનતાં રાષ્ટ્ર સેવા સમર્પિત સરહદના સંત્રી, અકલ્પનીય વિકાસ, રણોત્સવ, ધોળાવીરા ઐતિહાસિક હડ્ડપન સંસ્કૃતિ સ્થળો નો વિકાસ થશે. તેમ જણાવતાં સાંસદે સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીજી નો આભાર વ્યક્ત કર્યો હતો. તેમની સાથે રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા જોડાયા હતા, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૨૭ પર મોરબી માટે નવો બાયપાસ રોડ બનાવવા રજૂઆતો કરી હતી.




Latest News