મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચેકિંગ: ગેરકાયદે રહેતા આસામીઓને નોટીસ ફટકારી


SHARE













મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચેકિંગ: ગેરકાયદે રહેતા આસામીઓને નોટીસ ફટકારી

મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવામાં આવી છે અને ત્યાં મકાનની લાભાર્થીઓને સોપણી કરી દેવામાં આવેલ છે જો કે, તાજેતરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે કેટલાક મકાનોમાં ગેરકાયદે રહેતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આવા આસામીઓને દુર કરવા માટે મૂળ માલિકને મહાપાલિકામાંથી નોટીસ આપવામાં આવી છે.

મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેની સૂચના મુજબ ડેપ્યુટી કમિશ્નર સહિતની ટીમો કામ કરી રહી છે તેવામાં મહાપાલિકાના આવાસ વિભાગ દ્વારા બાયપાસ રોડે આવેલ દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાં 680 આવાસ ચેક કર્યા હતા ત્યારે તેમાં કેટલાક લોકો ગેરકાયદે રહેતા હોવાનું સામે આવ્યું હતું જેથી તે મકાનના લાભાર્થીને નોટીસ આપવામાં આવેલ છે અને આવાસ યોજનાના મકાનમાં ખાદ્ય ચીજવસ્તુની દુકાન ચલાવતા હોવાનું સામે આવ્યું હતું જેથી તેને દુકાન બંધ કરવા માટેની તાકીદ કરવામાં આવેલ છે તેમજ જે મકાનો લાભાર્થીઓને આપી દેવામાં આવેલ છે તેમ છતાં પણ બંધ છે તેના માટે આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે.




Latest News