મોરબીમાં આગામી ૪ જુલાઈના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે મોરબીમાં ઘરેલુ હિંસા સામે સ્ત્રી માટે જાગૃતિ સેમીનાર યોજાયો મોરબી પોલીસબેડામાંથી નિવૃત થયેલ છ પોલીસ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો મોરબીના રાજપર ગામ પાસે કામ દરમિયાન બેલ્ટ માથામાં લાગતા રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત મોરબી જીલ્લામાં મીઠા ઉદ્યોગ-નવલખી બંદર માટે મરીન સોલ્ટ મેન્યુ. એસો. દ્વારા રાજ્યસભાના સાંસદને કરાઇ રજૂઆત મોરબીમાં રેલ્વેને લગતા પ્રશ્નોની રાજ્યસભાના સાંસદને કરવામાં આવી રજૂઆત મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં તાયફા બંધ કરીને સુવિધા વધારવા કોંગ્રેસની માંગ મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટને તાત્કાલીક રીપેર કરીને લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચેકિંગ: ગેરકાયદે રહેતા આસામીઓને નોટીસ ફટકારી


SHARE















મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચેકિંગ: ગેરકાયદે રહેતા આસામીઓને નોટીસ ફટકારી

મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવામાં આવી છે અને ત્યાં મકાનની લાભાર્થીઓને સોપણી કરી દેવામાં આવેલ છે જો કે, તાજેતરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે કેટલાક મકાનોમાં ગેરકાયદે રહેતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આવા આસામીઓને દુર કરવા માટે મૂળ માલિકને મહાપાલિકામાંથી નોટીસ આપવામાં આવી છે.

મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેની સૂચના મુજબ ડેપ્યુટી કમિશ્નર સહિતની ટીમો કામ કરી રહી છે તેવામાં મહાપાલિકાના આવાસ વિભાગ દ્વારા બાયપાસ રોડે આવેલ દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાં 680 આવાસ ચેક કર્યા હતા ત્યારે તેમાં કેટલાક લોકો ગેરકાયદે રહેતા હોવાનું સામે આવ્યું હતું જેથી તે મકાનના લાભાર્થીને નોટીસ આપવામાં આવેલ છે અને આવાસ યોજનાના મકાનમાં ખાદ્ય ચીજવસ્તુની દુકાન ચલાવતા હોવાનું સામે આવ્યું હતું જેથી તેને દુકાન બંધ કરવા માટેની તાકીદ કરવામાં આવેલ છે તેમજ જે મકાનો લાભાર્થીઓને આપી દેવામાં આવેલ છે તેમ છતાં પણ બંધ છે તેના માટે આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે.




Latest News