મોરબી: કલેકટર કચેરીમાં કરાર આધારિત કાયદા સલાહકારની નિમણૂક કરાશે મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ 20.95 લાખના ચેક રીટર્ન કેસમાં બમણી રકમનો દંડ: એક વર્ષની સજા મોરબીના મકનસર ગામે સરકારી જમીન ઉપર થયેલા 10 ગેરકાયદે બાંધકામો તોડી પડ્યા મોરબી ઇન્ડીયન લાયોનેસ ક્લબના નવા પ્રમુખ ડો. સુષ્માબેન દુધરેજીયા અમદાવાદના લુંટના ગુનામાં નાસતો ફરતો આરોપી માળીયા (મી)માંથી પાંચ ચોરાઉ બાઇક સાથે પકડાયો મોરબીના બેલા પાસે અકસ્માતમાં બે યુવકને ઈજા મોરબી જિલ્લામાં રેશનકાર્ડ ઘારકોને મે અને જૂન મહિનાનો અનાજનો જથ્થો ચાલુ મહિનામાં જ આપી દેવામાં આવશે વાંકાનેર ખાતે ૨૦ મે ના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ભાડે આપેલ દુકાનનો કબ્જો લેવા માટે કરેલ દાવામાં ભાડૂઆત તરફે આવ્યો ચુકાદો


SHARE



















વાંકાનેરમાં ભાડે આપેલ દુકાનનો કબ્જો લેવા માટે કરેલ દાવામાં ભાડૂઆત તરફે આવ્યો ચુકાદો

વાંકાનેરમાં દુકાન ભાડે આપેલ હતી જેને ભાડુત બંધ અને પડતર હાલતમાં રાખતા દુકાનના માલિકે કોર્ટમાં દાવો કર્યો હતો જે કેસ ચાલી જતાં કોર્ટે દુકાનદારની દુકાનનો ખાલી કબ્જો મેળવવા અંગેની દાદ મંજુર રાખેલ નથી

વાંકાનેરના નીતીનભાઈ રમણીકલાલ ખરૈયાએ તેમની નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ દુકાન ભાડે આપેલ હતી અને ભાડુદુકાનને બંધ અને પડતર હાલતમાં રાખતા હતા જેથી દુકાનનો ખાલી કબ્જો મેળવવા દુકાનદારે ભાડુઆત અંદોદરીયા જયંતીલાલ કરમશીભાઈ સામે વાંકાનેરની કોર્ટમાં રે. દિવાની કેશ નં.૧૦૯/૨૧ થી દાવો દાખલ કર્યો હતો. આ દાવો વાંકાનેર કોર્ટમાં ચાલી જતા પ્રતિવાદીભાડે રાખેલ દુકાન બંધ અને પડતર હાલતમાં રાખતા હોય દુકાનના કાયમી સ્વરૂપના દુકાનમાં ફેરફાર કરેલ છે. તે મુદો કોર્ટે માન્ય રાખેલ નથી અને પ્રતિવાદી અંદોદરીયા જયંતીલાલ કરમશીભાઈને દુકાન ખાલી કરવા માટે કોર્ટે હુકમ કરેલ નથી. આમ કોર્ટના જજ એસ.કે.પટેલ સાહેબ દ્વારા વાદીની દુકાનનો ખાલી કબ્જો મેળવવા અંગેની દાદ મંજુર રાખેલ નથી આ કેસમાં પ્રતિવાદી પક્ષે મોરબીના સિનિયર વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક અને તેમની સાથે હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, વિશાલભાઈ પી.ચાવડા, કિશોરભાઈ સુરેલા ત્થા અશોકભાઈ દામાણી રોકાયેલ હતા.






Latest News