વાંકાનેરમાં પત્રકાર ભાટી એન. ઉપર ધારાસભ્યએ હુમલો કર્યાનો આક્ષેપ: મોબાઇલમાં લીધેલ વિડીયો ડીલીટ કર્યો છે, કોઈ મારામારી કરલે નથી: જીતુભાઈ સોમાણી વાંકાનેરના નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને જેલ હવાલે કર્યા: ટંકારાના ગાંજાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વૃદ્ધ પાસેથી 18 હજારની રોકડની ચોરી કરવાના ગુનામાં રિક્ષા ચાલક સહિત બેની ધરપકડ: મહિલા સહિત બે આરોપીની શોધખોળ હળવદના ચરાડવા ગામે દીકરાની ગળાટૂંપો આપીને હત્યા કરનારા બાપની ધરપકડ મોરબીમાં જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન સહકારી સંસ્થાઓમાં લોન મેળો તથા સભ્યપદ ડ્રાઈવ યોજાઈ મોરબી 602 જમીન કૌભાંડમાં મહિલા સહિત બે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર, મુખ્ય સૂત્રધાર સહિતના બીજા ઘણા આરોપીઓ પકડાશે: DYSP મોરબી જલારામ ધામ ખાતે રવિવારે ડો.પ્રવિણભાઈ તોગડીયાની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાશે ચરાડવા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના દાઉદી વ્હોરા સમાજ દ્વારા હુમલાના દિવંગતોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ


SHARE

















મોરબીના દાઉદી વ્હોરા સમાજ દ્વારા હુમલાના દિવંગતોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ

મોરબીના દાઉદી વ્હોરા સમાજ દ્વારા જમ્મુ કશ્મીર ખાતે પહેલગામમાં કરવામાં આવેલ આતંકવાદી હુમલામાં આશરે 26 જેટલા ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી હતી તેમજ અનેક લોકો આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા હતા. તેમના દુઃખમાં ભાગીદાર થવા માટે મોરબી શહેરમા આવેલ સૈફી મસ્જીદ  ખાતે આજે મોરબીના આમિલ સાહેબના નૈતૃતવમાં મૃતકો માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી. અને દુઆઓ સાથે મૃતક ભારતીય નાગરિકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તદુપરાંત મૃતકોના સન્માનમાં બે મિનિટ મૌન પાળ્યું હતું. દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતકો પ્રત્યે દાઉદી વ્હોરા સમાજને સહાનુભૂતિ છે તેમજ આ મુશ્કેલ ઘડી માં ઇશ્વર મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી દુઆઓ કરવા માં આવી હતી. આ અંગે નું આયોજન મોરબી અનજુમને સૈફી જમાઅત કમિટી દ્વારા કરવામાં આવેલ હતું




Latest News