મોરબીમાં અહલ્યાબાઈ હોલકરજીની જન્મ જયંતી નિમિત્તે બાઈક રેલી યોજાઇ મોરબીમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઇ મોરબીમાં આર્યુવેદ તથા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો મોરબીની વિશ્વકર્મા મંદિર વાળી શેરીમાં આવેલ જોખમી મકાન તોડી પાડવા રજૂઆત મોરબી જિલ્લામાં નાબાર્ડના નવા કાર્યાલયનો શુભારંભ મોરબીના નવડેલા રોડે આવેલ શોપિંગ સેન્ટરના રવેસમાંથી બાથરૂમ તૂટી પડ્યું, બે વાહનમાં નુકશાન મોરબીના તળાવીયા સનાળા-વાંકડા ગામ વચ્ચેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી વાંકાનેર બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે ત્રણ દિવસીય સમર કેમ્પનું આયોજન
Morbi Today

મોરબીના 602 જમીન કૌભાંડ-બોગસ ખેડૂત ખાતેદાર વિગેરે મુદાઓને લઈને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની જિલ્લા સંકલનની બેઠકમાં ધબધબાટી


SHARE



















મોરબીના 602 જમીન કૌભાંડ-બોગસ ખેડૂત ખાતેદાર વિગેરે મુદાઓને લઈને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની જિલ્લા સંકલનની બેઠકમાં ધબધબાટી

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જમીન કૌભાંડોની ચર્ચા ચાલી રહી છે પરંતુ તેમાં અસરકારક કામગીરી જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવતી નથી જેથી શુક્રવારે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલ જિલ્લા સંકલનની બેઠકમાં મોરબીના ધારાસભ્યએ જમીન કૌભાંડ્યાઓને છાવરનારા અધિકારીઓ સંકલનની મિટિંગમાં કેમ હાજર રહેતા નથી ? અને કૌભાંડ કરનારાઓની સામે કેમ પગલાં લેવામાં આવતા નથી ? તેવા સવાલો કરીને ધબધબાટી બોલાવી દીધી હતી અને નબળા લોકોની જમીન હડપ કરવા માટેના કાવતરા કરનારો સામે કાયદેસરની ફરિયાદો નોંધીને કેમ કાર્યવાહી થતી નથી ? તેવું કહેતા કલેક્ટરે તાત્કાલિક કાર્યવાહી કરવા માટેની ધારાસભ્યને ખાતરી આપી હતી ત્યારબાદ સંકલન સમિતિની બેઠકમાં કાર્યવાહી આગળ વધી હતી.

દર મહિને કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં મોરબી જિલ્લાના ધારાસભ્યો, સાંસદો, જિલ્લા પંચાયતના પ્રમુખ વિગેરે હાજર રહેતા હોય છે તેવી જ રીતે આજે મોરબી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન સમિતિનું કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા હાજર રહ્યા હતા અને આ બેઠકમાં કાર્યવાહી શરૂ થાય ત્યાર પહેલા જ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા જમીન કૌભાંડની બાબતને લઈને ધબધબાટી બોલાવી દેવામાં આવી હતી અને તેઓએ કલેકટરને કહ્યું હતું કે 602 જમીન કૌભાંડમાં જે અધિકારીઓ સંડોવાયેલ છે તેની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ? અને જે લોકો ખરેખર આ જમીન કૌભાંડમાં સંડોવાયેલા છે તેમની સામે કેમ ફરિયાદ લેવામાં આવતી નથી ?

વધુમાં તેમણે કહ્યું હતું કે મોરબી જિલ્લો જાણે કે જમીન કૌભાંડનું ઘર બની ગયેલ હોય તે રીતે છેલ્લા ઘણા સમયથી જમીન કૌભાંડો કરવામાં આવી રહ્યા છે અને કોઈપણ પ્રકારે નબળા અને ગરીબ લોકોની જમીનો પચાવી પાડવામાં આવતી હોય છે ત્યારે આ જમીન પચાવી પાડવાનાર સક્રિય ટોળકી સામે અધિકારીઓ દ્વારા આકરા પગલાં લેવામાં આવે તે જરૂરી છે મોરબીના 602 જમીન કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ કેમ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેતા નથી ? તેવો કાંતિભાઈ અમૃતિયાએ સવાલ કર્યો હતો અને જમીન કૌભાંડ તથા બોગસ ખેડૂત ખાતેદાર સહિતના અનેક મુદ્દાઓ મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચર્ચાસ્પદ છે ત્યારે જે લોકો ખોટું કરતા હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ધારાસભ્યએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત કરી હતી અને કલેક્ટર દ્વારા સાંજ સુધીમાં અસરકારક કાર્યવાહી કરવા માટેની ધારાસભ્યને ખાતરી આપી હતી જો કે, તેમાં કેટલો દમ છે તે તો આગામી સમય જ બતાવશે.

આ બાબતે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબીમાં થયેલા જમીન કૌભાંડના ભોગ બનેલા પરિવારને સાથે રાખીને રજૂઆતો કરી હતી તો પણ મુખ્ય સુત્રાધરોની સામે હજુ સુધી આકરા પગલાં લેવાયા નથી. અને ખાસ કરીને આજ સુધી કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ અને તેના મળતીયાઓની સામે અસરકારક કામગીરી કરવામાં આવી નથી જેથી અડધો કલાક સુધી મિટિંગમાં કોઈ કાર્યવાહી કરવા દીધી ન હતી અને જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં છેલ્લા ઘણા સમયથી મોરબીના એસપી અને મોરબીના પ્રાંત અધિકારી કેમ હાજર રહેતા નથી ? તેવું કહીને પહેલા જમીન કૌભાંડ અને બોગસ ખેડૂત ખાતેદાર બાબતે કાર્યવાહી કરવામાં આવે ત્યારબાદ જ જિલ્લા સંકલન સમિતિની બેઠક આગળ વધશે તેવું ધારાસભ્યએ કલેક્ટરને કહ્યું હતું જેથી કલેકટરે  તાત્કાલિક પરિણામ લક્ષી કામગીરી કરવાની ખાતરી આપી હતી. ત્યાર બાદ મિટિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. અંતમાં ધારાસભ્યએ કહ્યું હતું કે, “જમીન કૌભાંડ કરનારાઓને છાવરવા માટે જે કોઈ અધિકારીઓપ્રયત્ન કર્યા છે તેઓની સામે કાર્યવાહી કરવા માટે ભવિષ્યમાં સરકારમાં રજૂઆત કરવામાં આવશે”.






Latest News