મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત
Breaking news
Morbi Today

પાકિસ્તાનને જે દેશ સમર્થન આપે ત્યાં મોરબીની ટાઈલ્સની સપ્લાય સદંતર બંધ કરવા વિચારણા ચાલુ: મોરબી સિરામિક એસો.


SHARE











પાકિસ્તાનને જે દેશ સમર્થન આપે ત્યાં મોરબીની ટાઈલ્સની સપ્લાય સદંતર બંધ કરવા વિચારણા ચાલુ: મોરબી સિરામિક એસો.

મોરબીના સીરામીક ઉદ્યોગમાં બનતી ટાઇલ્સનું વિશ્વના દરેક દેશમાં વેચાણ કરવામાં આવે છે જોકે આતંકવાદ અને આતંકવાદીઓને આશરો આપનાર પાકિસ્તાન મોરબીથી ટાઇલ્સ સપ્લાય કરવામાં આવતી નથી અને છેલ્લે યુદ્ધની પરિસ્થિતીમાં પાકિસ્તાનને જે દેશ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું તે બે દેશમાં મોરબીની ટાઇલ્સની સપ્લાય બંધ કરવા માટેની વિચારણા મોરબી સિરામિક એસો. દ્વારા શરૂ કરવામાં આવી છે

તાજેતરમાં પહેલગામ ખાતે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી જેથી દેશની સેના દ્વારા આતંકવાદીઓનો પાકિસ્તાનની સીમામાં ઘૂસીને જડબાતોડ જવાબ આપવામાં આવેલ છે અને આતંકીઓના જે અડ્ડા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે ત્યારબાદ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે સમયે પાકિસ્તાનને તુર્કી અને અબેજાન દેશ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું જેથી આ બંને દેશનો જુદા જુદા રાજ્યોની અંદર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી સિરામિક એસો. દ્વારા પણ આ બંને દેશોમાં બોયકોટ કરવા માટેની વિચારણા શરૂ કરવામાં આવી છે.

વધુમાં મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો. ના પ્રમુખ હરેશભાઈ બોપલિયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં ભારતની એટલે કે મોરબીથી ટાઇલ્સ મોકલાવવામાં આવતી જ નથી અને હવે યુદ્ધની પરિસ્થિતિ વખતે પાકિસ્તાનને જે બે દેશ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું તે બંને દેશ એટલે કે તુર્કી અને અબેજાનમાં પણ ભારતીય ટાઇલ્સ મોકલવાનું બંધ કરવા માટેની વિચારણાઓ શરૂ કરવામાં આવી છે. આટલું જ નહીં અઝરબેજાનમાં મોરબીના ઘણા ઉદ્યોગકારો ફરવા માટે જતાં હતા તે પણ ત્યાં ન જાય તેના માટેની પણ મુમેન્ટ કરવામાં આવશે.

મોરબી સિરામિક વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખ મનોજભાઇ એરવાડીયાએ કહ્યું હતું કે, હાલમાં તુર્કી અને અબેજાન દેશમાં કુલ મળીને 100 કરોડથી વધુનું એક્સપોર્ટ મોરબીના ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવે છે જોકે સિરામિક ઉદ્યોગની પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ દેશ હિતમાં નિર્ણય લેવા માટેની કવાયત શરૂ કરવામાં આવેલ છે અને આ બંને દેશમાં મોરબીની ટાઇલ્સનું એક્સપોર્ટ સદંતર બંધ કરવા માટેની ઉદ્યોગકારોની સાથે મિટિંગ કરીને જાહેરાત કરવામાં આવશે.






Latest News