ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત
Breaking news
Morbi Today

મોરબીના અલરજા ગ્રપ દ્વારા ઇદની ઉજવણી નિમિતે રેન બસેરા ખાતે કેક કટીંગ કરીનો નાસ્તાનું વિતરણ કરાયુ


SHARE













ઇસ્લામના મૂળ માનવતાના ધર્મને સિદ્ધ કરતું અલરઝા ગ્રુપ 
આજરોજ જ્યારે આખા વિશ્વમાં ઈસ્લામના પેગંબર મોહમ્મદ સાહેબના ૧૫૦૦ માં વર્ષની જન્મદિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મોરબીના અલરજા ગ્રુપ દ્વારા માનવતા મહેકાવતા ઈદે મિલાદની ઉજવણી મોરબી મહાનગરપાલિકાના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ રેન બસેરા ખાતે રહેતા મહિલાઓ, વૃદ્ધો, તથા અનાથ બાળકો સાથે કેક કાપી અને નાસ્તો કરાવી ખુશીઓ વહેંચવામાં આવી હતી આ કાર્યક્રમમાં શહેરના કેટલાય જાણીતા મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા. તથા માનવ સેવા એજ પ્રભુ સેવાના આગેવાનો પરેશભાઈ, અસ્મિતાબેન, ખીમજીભાઇ તથા રેન બસેરાના અન્ય કર્મચારીઓ તથા કાર્યકર્તાઓ સૌએ સંદેશ આપ્યો કે ઈદે મિલાદ માત્ર ઉજવણીનો દિવસ નથી પરંતુ માનવતા, પ્રેમ અને ભાઈચારો વહેંચવાનો દિવસ છે. આ કાર્યક્રમના અંતે સૌએ દુઆ કરી કે દેશ-સમાજમાં શાંતિ, એકતા અને ભાઈચારો સદાય કાયમ રહે તેવી પ્રાર્થના કરી હતી.






Latest News