મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં શ્વાસ લેવામાં તકલીફ થતા પડી જવાથી વૃદ્ધનું અને ઘરે ઉલ્ટીઓ થવા લાગતાં યુવાનનું મોત


SHARE













મોરબીમાં શ્વાસ લેવામાં તકલીફ થતા પડી જવાથી વૃદ્ધનું અને ઘરે ઉલ્ટીઓ થવા લાગતાં યુવાનનું મોત

મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલ ત્રિલોક ધામ મંદિર પાસે રહેતા વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થતા જમીન ઉપર પડી ગયા હતા અને તેમનું મોત નીપજયું હતું આવી જ રીતે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ સરદાર-3 માં રહેતો યુવાન તેના ઘરે હતો ત્યારે તેને ઉલટી થવા લાગી હતી અને બેભાન થઈ જતા સારવાર માટે લઈ ગયા હતા અને તેનું પણ મોત નીપજયું હતું આ બંને બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિલોક ધામ મંદિર પાસે રહેતા દિલીપભાઈ નાથાલાલ પરમાર (63) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને તેઓ જમીન ઉપર નીચે પડી જતા તેને તાત્કાલિક સારવાર માટે આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવતા ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે સરદાર-3 માં રહેતા કૌશિકભાઈ રામભાઈ બારૈયા (37) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે તેને અચાનક ઉલટીઓ થવા લાગી હતી જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં મૃત જાહેર કર્યા બાદ તેઓના મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News