મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર: માવતરના ઘરેથી પત્ની દિવાળીએ પછી ન આવતા યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE











વાંકાનેર: માવતરના ઘરેથી પત્ની દિવાળીએ પછી ન આવતા યુવાને અણધાર્યું પગલું ભર્યું

વાંકાનેર તાલુકાનાં ઢુવા ગામની સીમમાં રહેતા યુવાનની પત્ની તેના પિતાના ઘરે જતી રહેલ હતી જેને દિવાળી ઉપર પાછા આવવા માટે યુવાને કહ્યું હતું જો કે, યુવાનની પત્ની પછી આવી ન હતી જેથી યુવાનને મનોમન લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો

મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામમાં સીમમાં આવેલ મિલેનિયમ સીરામીક અને વરમોરા સીરામીકની પાછળના ભાગમાં રહેતા કરણકુમાર વિનોદકુમાર કઠેરિયા (32) નામના યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની તેના ભાઈ ગગનકુમાર વિનોદકુમાર કઠેરીયા (22) રહે. હાલ ઢુવા મૂળ રહે. ઉત્તર પ્રદેશ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી. વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક કરણકુમાર ની પત્ની તેના પિતાના ઘરે જતી રહેલ હોય દિવાળીના તહેવારમાં કરણકુમારે ફોન કરીને તેની પત્નીને પોતાની પાસે આવવા માટે થઈને કહ્યું હતું જોકે, તે આવી ન હતી જેથી કરીને મનોમન લાગી આવતા કરણકુમારે ગળાફાંસો ખાઈ લીધો હતો તેવી માહિતી તપાસમાં સામે આવી છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News