મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી ગુમ થયેલ ત્રણમાંથી બે સગીરાઓ મળી આવી.! એક અંગે અપહરણની ફરીયાદ નોંધાય


SHARE











મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી ગુમ થયેલ ત્રણમાંથી બે સગીરાઓ મળી આવી.! એક અંગે અપહરણની ફરીયાદ નોંધાય

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલય ખાતે રાખવામાં આવેલ ત્રણ સગીરાઓ ગઇકાલે વહેલી સવારે કોઈને કશું કહ્યા વગર નીકળી ગઇ હોય તેને શોધવા માટે તે સંસ્થાના સંચાલક દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી અને સગીરાઓનો કોઇ જગ્યાએથી પત્તો ન લાગતાં મોરબી જિલ્લાના પોલીસને જાણ કરવામાં આવી છે જેથી ગણતરીના કલાકોમાં જ સીટી બી ડિવિજન  પોલીસે સગીરાઓને શોધવા માટે કવાયત કરતા ત્રણ પૈકી બે સગીરાઓ તેમના ઘરેથી જ મળી આવી હતી..! અને એક સગીરા હજુ મળી ન હોય તે અંગે સમાજ કલ્યાણ અધીકારી દ્રારા બી ડિવિજન ખાતે અપહરણની ફરીયાદ નોંધાવાતા પોલીસે શોધખોળ શરૂ કરેલ છે.

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી અપ્હત સગીરાઓને અહીંના સામાકાંઠે આવેલા શોભેશ્વર રોડ ખાતેના વિકાસ વિદ્યયાલયમાં રાખવામાં આવી હતી.જે પૈૈકી ત્રણ સગીરાઓ ગઇકાલે વહેલી સવારે વિકાસ વિદ્યાલય ખાતેથી કોઈને કશું કહ્યા વગર નીકળી ગઇ હતી..! જેથી સંસ્થાના સંસ્થાના સંચાલકો દ્વારા શોધખોળ કર્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.જોકે એવી પણ માહિતી પણ મળી હતી કે સગીરાઓને પોતાના વાલી પાસે જવું હતુ પરંતુ તેના વાલીઓ લઈ જતા ન હોય..! વહેલી સવારે ત્રણ સગીરાઓ કહ્યા વગર વિકાસ વિદ્યાલય ખાતેથી નીકળી ગયેલ.અત્રે નોંધનીય છે કે જ્યારે આ અપહરણના બનાવ બન્યા ત્યારે સગીરાઓ તેઓના પરિવારજનો પાસે જવા માંગતી ન હતી અને બાદમાં પરિવાર પાસે જવા માંગતી હતી ત્યારે પરિવાર તેને સ્વીકારવા માટે તૈયાર ન હતો..! માટે આ કિસ્સો ક્ષણિક આવેગમાં આવીને અજુગતા પગલા ભરી બેસતાં યુવાધન માટે લાલબત્તી સમાન છે કે જો તમે સમાજની રીત રસમોથી પર થઈને કોઈ પગલું ભરશો તો ખુદ તમારો પરિવાર પણ તમને નહીં સ્વીકારે.

બનાવની જાણ થતા જ બી ડિવિજન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતાં ગુમ થયેલી ત્રણ સગીરાઓ પૈકી બે સગીરાઓ તેમના ઘરેથી જ મળી આવી હતી.જેથી તેમનો કબ્જો લઇને પુન: સંસ્થા ખાતે મૂકવામાં આવી હતી જોકે હજુ સુધી ગુમ થયેલી એક સગીરાને ભાળ મળી ન હોય તે અંગે સમાજ કલ્યાણ વિભાગના સુપ્રિટેન્ડન્ટ નિરાલીબેન જે.જાવીયા હાલ રહે.ન્યુએરા પ્લે હાઉસ સામે સૂર્યકિર્તિ સોસાયટી મોરબી-૨ મૂળ રહે. રાજકોટ દોશી હોસ્પિટલ પાછળ અંકુર વિદ્યાલય નજીક વાળાઓએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ગુમ થયેલ સગીરાના અપરણ સંદર્ભે ફરિયાદ નોંધાવી હોય હાલમાં બી ડિવિઝન પીઆઈ વી.એલ.પટેલ દ્વારા કલમ ૩૬૩ હેઠળ અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ત્રણ પૈકીની એક સગીર મળી આવેલ ન હોય તેની હાલ શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.






Latest News