મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે
Breaking news
Morbi Today

વાંકાનેરના રાણેકપર ગામે ખેતરમાં માલઢોર ચરાવીને ભેલાણ કર્યા બાદ યુવાન સહિતનાઓની ઉપર ધારિયા, પાઇપ તથા ધોકા વડે હુમલો: 17 સામે ફરિયાદ


SHARE













વાંકાનેરના રાણેકપર ગામે ખેતરમાં માલઢોર ચરાવીને ભેલાણ કર્યા બાદ યુવાન સહિતનાઓની ઉપર ધારિયા, પાઇપ તથા ધોકા વડે હુમલો: 17 સામે ફરિયાદ

વાંકાનેરના રાણેકપર ગામે રહેતા યુવાનના ખેતરમાં માલ ઢોરને ચરાવીને ભેલાણ કરવામાં આવ્યું હતું અને યુવાન તથા સાહેદોને ગાળો આપવામાં આવી હતી ત્યાર બાદ ધારિયા, પાઇપ તથા ધોકા વડે હુમલો કરીને યુવાન સહિતનાઓને માથા અને શરીરે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ કુલ 17 શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નામ જોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે રહેતા અલ્તાફભાઈ હુસેનભાઇ માથકિયા (42)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે છગનભાઈ હીરાભાઈ ગીંગોરા, છગનભાઈનો દીકરો, ગોપાલભાઈ સીધાભાઈ ગીગોરા, છેલાભાઈ સીધાભાઈ ગીગોરા, મંગાભાઈ હીરાભાઈ ગીંગોરા, વિષ્ણુભાઈ મોનાભાઈ મુંધવા, વીરમ જેમાભાઇ મુંધવા, ભુપતભાઈ ગેલાભાઈ મુંધવા, નારુભાઈ સામતભાઈ મુંધવા, સંજયભાઈ ભગાભાઈ મુંધવા, માયાભાઈ રૈયાભાઇ ડાભી, ભાવેશભાઈ ગેલાભાઈ મુંધવા, રવિભાઈ ગેલાભાઈ મુંધવા, પ્રવીણભાઈ છેલાભાઈ મુંધવા, વિહાભાઇ પુનાભાઈ મુંધવા, નવઘણભાઈ પુનાભાઈ મુંધવા અને મોનાભાઈ ભુવાનો ભાણેજ રહે બધા રાણેકપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, રાણેકપર ગામની સીમમાં પીપરા વાડીએ ફરિયાદીની વાડીમાં છગનભાઈ અને તેના દીકરાએ ગેરકાયદે પ્રવેશ કરીને તેના માલ ઢોરને કપાસના પાકમાં રાવી ભેલાણ કર્યું હતું અને બોલાચાલી કરી હતી ત્યારબાદ આરોપીઓ એક સંપ કરીને ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તથા ઇજા પામનારાઓને ગાળો આપવામાં આવી હતી અને ધોકા, પાઇપ અને ધારિયા વડે સાહેદને માથાના ભાગે મારમારીને ઇજા કરી હતી તથા ફરિયાદી અને સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન સહિતનાઓને સારવાર માટે લઈ ગયા હતા ત્યાર બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ મળીને 17 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News