મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે
Breaking news
Morbi Today

વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યની હાજરીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે એકતા યાત્રા યોજાઈ


SHARE













વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યની હાજરીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે એકતા યાત્રા યોજાઈ

દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં આજે ધારાસભ્યની આગેવાની હેઠળ અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં એકતા યાત્રા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ સહિતના લોકો જોડાયા હતા.

દેશભરમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં આવતી વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં આજે એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, માજી ધારાસભ્ય વર્ષબેન દોશી, વાંકાનેરના પ્રાંત અધિકારી અને ડીવાયએસપી સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા હતા વાંકાનેર નજીક આવેલ કિરણ સિરામિક ખાતેથી એકતા પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને ટાઉન હૉલ ખાતે એકતા યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વાંકાનેર નગરપાલિકાના પ્રમુખશ્રી ડિમ્પલબેન સોલંકી, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી ડો.વિપુલ સાકરીયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સમીર સારડા, મામલતદાર કે.વી. સાનિયા, વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સેરૈયા, તાલુકા વિકાસ અધિકારી પાયલબેન ચૌધરી, ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રામાં અગ્રણીઓ, પદાધિકારીઓ/અધિકારીઓ તથા નાગરિકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News