મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત


SHARE













વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેરના જીનપરા પ્રતાપપરા શેરી નં-7 માં રહેતા વૃદ્ધને ડાયાબિટીસની બીમારી હોય તેની સારવાર માટે લઈ જતા હતા ત્યારે રસ્તામાં બેભાન થઈ ગયા હતા અને હાર્ટ એટેકના કારણે તેમનું મોત નીપજયું હતું. જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના જીનપરા પ્રતાપરા શેરી નં-7 માં રહેતા વિનોદરાય પ્રભુલાલ કટારીયા (62) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેમને ડાયાબિટીસની બીમારી હોય જેથી કરીને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને રસ્તામાં તેઓ બેભાન થઈ ગયા હતા અને હોસ્પિટલે પહોંચશે ત્યારે ડોક્ટરે તેમને જોઈ તપાસીને પછી મૃત જાહેર કર્યા હતા અને હાર્ટ એટેકના કારણે તેમનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

1200 લીટર આથો ઝડપાયો

વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામની સીમમાં છતર જવાના રસ્તે નદીના કાંઠે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1200 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 30 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં આરોપી હાજર ન હોય હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મયુરભાઈ મનસુખભાઈ લોરીયા રહે. કોટડા નાયાણી તાલુકો વાંકાનેર વાળા સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News