રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય
Breaking news
Morbi Today

મોરબીમાં મ્યુલ બેંક એકાઉન્ટ કેસમાં યુવતી સહીત વધુ બે જેલ હવાલે


SHARE











મોરબીમાં મ્યુલ બેંક એકાઉન્ટ કેસમાં યુવતી સહીત વધુ બે જેલ હવાલે

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આનંદભાઈ સોમાભાઈ હળવદિયા, કરણભાઈ સોમાભાઈ હળવદિયા, તથા વિપુલભાઈ રામજીભાઈ ગડા અને હેમુભાઈ વાળા સામે મ્યુલ બેંક વડે ફ્રોડ અંગે ફરિયાદ નોંધાઇ હતી.જે ગુનામાં પોલીસે અગાઉ આનંદભાઈ સોમાભાઈ હળવદિયાની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આ ગુનામાં તપાસનીસ અધિકારી પીએસઆઈ હરદેવસિંહ જાડેજા અને સ્ટાફે બાદમાં ગિરિરાજસિંહ કનકસિંહ ઉર્ફે કનુભા જાડેજા (૨૯) રહે.હાલ ભાગ્ય લક્ષ્મી સોસાયટી મોરબી મૂળ કાજુદા ખંભાડિયા વાળાની ધરપકડ કરેલ છે અને બાદ ઊંડી તપાસ કરવામાં આવતા વધુ નામ ખુલતા રવિ મનુભાઈ વિંધાણી વાણંદ (૩૨) રહે.શનાળા બહુચર માતાના મંદિર પાસે મૂળ રહે ગઢની રાંગ ભવાની ચોકને તેમજ તેની સાથે દિવ્યાબેન પરેશભાઈ સોલંકી વાણંદ (૨૫) રહે.જીવનજયોત સોસાયટી નવજીવન સ્કૂલ પાસે વાવડી રોડ મોરબી વાળાઓને પકડવામાં આવ્યા હતા અને બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા જેલ હવાલે કરવા હુકમ કરવામાં આવતા જેલ હવાલે કરાયા હોવાનું તપાસ અધિકારી પીએસઆઇ એચ.આર.જાડેજાએ જણાવેલ છે.

વાહન અકસ્માત

હળવદના ખારીવાળી વિસ્તારમાં રહેતા પ્રમોદભાઈ મનજીભાઈ દલવાડી નામના ૪૫ વર્ષના યુવાનને હળવદની મોરબી ચોકડી ખાતે વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મીયાણાના અંજીયાસરમાં ઘર નજીક થયેલ મારામારીમાં ઇજા થતા કરીમ કાદરભાઈ નામના ૧૮ વર્ષના યુવાનને સારવાર માટે મોરબી લઇ જવાયો હતો.જ્યારે સુરેન્દ્રનગરના સાયલા પાસે કારમાં જતા સમયે કારનું ટાયર ફાટતા કાર પલ્ટી ગઈ હતી જે બનાવમાં ઇજા પામેલ હરેશભાઈ ચકુભાઈ જોગડીયા (૨૯) રહે. શ્રદ્ધા પાર્ક નવલખી રોડને વધુ સારવાર માટે મોરબી ખસેડાયા હતા.હળવદના સુંદરગઢના લાલજીભાઈ કુકાભાઈ ચરમારી (૩૨) નામનો યુવાન ચરાડવા નજીક અકસ્માતમાં ઇજા પામતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.વાંકાનેર અમરસિંહજી સ્કૂલ પાસે રહેતા શ્રવણભાઈ કચરાભાઈ નામના ૫૫ વર્ષના આધેડ ઘર નજીક પડી ગયા હોય વાંકાનેર ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.






Latest News