મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં કામા અશ્વ રમતોત્સવ અંતર્ગત આજે ઘોડા અને ઘોડે સવારની પરીક્ષા કરતી એમ્બ્યુરન્સ રેસ


SHARE













વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં કામા અશ્વ રમતોત્સવ અંતર્ગત આજે ઘોડા અને ઘોડે સવારની પરીક્ષા કરતી એમ્બ્યુરન્સ રેસ

વાંકાનેરમાં આયોજિત કામા અશ્વ રમતોત્સવ દરમિયાન આજે એમ્બ્યુરન્સ રેસ યોજાઇ હતી જેમાં 25 જેટલા ઘોડ સવારો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને આ રેસની વિશેષતાએ હોય છે કે, ડુંગરાળ પ્રદેશની અંદર ઘોડા અને ઘોડ સવાર બંનેની પરીક્ષા થાય છે અને ત્યારબાદ તે રેસની અંદર વિજેતા ઘોડો અને ઘોડે સવારના નામ જાહેર કરવામાં આવતા હોય છે

વાંકાનેર શહેરમાં રણજીત વીલા પેલેસની બાજુના ગ્રાઉન્ડમાં ગઈકાલથી કામા અશ્વ રમત ઉત્સવ શરૂ થયેલ છે અને ગઈકાલે રાજ્યપાલ, કેબિનેટ મંત્રી રાજ્ય મંત્રી, સાંસદ, ધારાસભ્ય વિગેરે આ કાર્યક્રમમાં આવ્યા હતા અને આજે સવારે 7:00 વાગ્યાથી કાઠીયાવાડી, મારવાડી અને કચ્છી ઘોડાઓની એમ્બ્યુરન્સ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું અને રણજીત વિલા પેલેસ ખાતેથી આ રેસ શરૂ થઈ હતી જે ગઢિયા ડુંગરમાં કુલ 20 કિલોમીટર સુધી ફરીને રણજીત વિલાસ પેલેસ ખાતે જ પૂર્ણ કરવામાં આવી હતી

ગુજરાત કામા હોર્સ સોસાયટીના સભ્ય શિવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે રેસમાં ઘોડો દોડે અને પહેલા નંબરે આવે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે પરંતુ એમ્બ્યુરન્સ રેસ ની અંદર તેવું નથી હોતું, આ રેસની અંદર ઘોડાઓને લઈને ઘોડ સવાર ડુંગરાળ અને પથ્થરાળ પ્રદેશની અંદર જતા હોય છે.અને ત્યાંથી પરત આવ્યા બાદ ઘોડાના હાર્ટબિટ, તેની હાલચાલ વિગેરે તમામ બાબતોનું વેટરનિટી ડોક્ટર દ્વારા પરીક્ષણ કરવામાં આવે અને ત્યાર પછી વિજેતા ઘોડા અને ઘોડ સવારના નામ જાહેર કરવામાં આવતા હોય છે






Latest News