માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

ગુજરાત એસ.ટી.માં ઓવરલોડ તથા ઓવર એજ બસો બંધ કરો : પી.પી.જોષી


SHARE













ગુજરાત એસ.ટી.માં ઓવરલોડ તથા ઓવર એજ બસો બંધ કરો : પી.પી.જોષી

મોરબીના જાગૃચ નાગરીક તેમજ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ રાજયના મુખ્યમંત્રીને પત્ર લખીને રજુઆત કરેલ છે. જેમાં જણાવેલ છેકે, ગુજરાત એસ.ટી.માં નિયત કરતા વધારે મુસાફરોની હેરાફેરી થાય છે.આ પ્રથા ફકત ગુજરાતમાં જ છે.અન્ય રાજયમાં ઓવર એજ બસો કે ઓવરલોડ મુસાફર ભરતા નથી.અન્ય રાજયોમાં બીજી બસોની સુવિધા પણ કરવામાંં આવે છે.

ગુજરાત એસ.ટી.માં ઓવરલોડ તથા ઓવર એજ બસોને કારણે મુસાફરોની સુરક્ષા ઉપર જોખમ રહે છે જે પ્રથા બંધ કરવી જોઈએ તેમજ એસ.ટી.ના ઘણા રૂટમાં કંડકટર ચોવીસ કલાક ફરજ બજાવે છે.જેને કારણે અવાર નવાર અકસ્માત થાય છે અને એસ.ટી.ને કરોડો રૂપીયા કલેમ પેટે ચુકવવા પડે છે તે પણ વ્યાજબી નથી.જેથી કરીને ડ્રાઈવર કંડકટરને વધુમાં વધુ આઠથી દસ કલાકની નોકરી આપવી જોઈએ તેમની લાંબોરૂટ હોય તો વચ્ચમાં કોઈપણ ડેપોમાં કયુચેન આપવું જોઈએ આ પ્રથા ઘણી જુની છે.જયારે પ્રથા ચાલુ હતી.આજે સત્તત ડ્રાઈવર ચોવીસ કલાક ફરજ બજાવે છે તો તે થાકી જાય છે અને તેને સમયસર આરામ મળતો નથી અને છેલ્લે અકસ્માત થાય છે.જેમાં મહામુલી જીંદગીથી હાથ ધોઇને મુસાફર જનતાએ મોતને શરણે થવુ પડે છે અને એસ.ટી.ને કલેમ ચુકવવો પડે છે.તો નિયમનુસાર ડ્રાઈવરને છ કલાકનો આરામ મળતો નથી જેથી આવા બનાવો બને છે.આવા સૌરાષ્ટમાં ધણા રૂટ છે જેમ કે દાહોદ-ગોધરા, ધોઘંબા-મોરબી, છોટા ઉદેપુર-બારીયા, મોરબી-વેરાવળ, દીવ, કોડીનાર, ભુજ ડેપોની પણ ધણી બસો સતત ૨૦ કલાકથી વધારે ફરજ બજાવે છે જે નિગમને તથા પ્રજાને નુકશાનકારક છે.તો વહેલી તકે આવી બસોને કયુચેન આપવુ જોઈએ એવી માંગણી પી.પી.જોષીએ કરેલ છે.






Latest News