આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

ગુજરાત એસ.ટી.માં ઓવરલોડ તથા ઓવર એજ બસો બંધ કરો : પી.પી.જોષી


SHARE













ગુજરાત એસ.ટી.માં ઓવરલોડ તથા ઓવર એજ બસો બંધ કરો : પી.પી.જોષી

મોરબીના જાગૃચ નાગરીક તેમજ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ રાજયના મુખ્યમંત્રીને પત્ર લખીને રજુઆત કરેલ છે. જેમાં જણાવેલ છેકે, ગુજરાત એસ.ટી.માં નિયત કરતા વધારે મુસાફરોની હેરાફેરી થાય છે.આ પ્રથા ફકત ગુજરાતમાં જ છે.અન્ય રાજયમાં ઓવર એજ બસો કે ઓવરલોડ મુસાફર ભરતા નથી.અન્ય રાજયોમાં બીજી બસોની સુવિધા પણ કરવામાંં આવે છે.

ગુજરાત એસ.ટી.માં ઓવરલોડ તથા ઓવર એજ બસોને કારણે મુસાફરોની સુરક્ષા ઉપર જોખમ રહે છે જે પ્રથા બંધ કરવી જોઈએ તેમજ એસ.ટી.ના ઘણા રૂટમાં કંડકટર ચોવીસ કલાક ફરજ બજાવે છે.જેને કારણે અવાર નવાર અકસ્માત થાય છે અને એસ.ટી.ને કરોડો રૂપીયા કલેમ પેટે ચુકવવા પડે છે તે પણ વ્યાજબી નથી.જેથી કરીને ડ્રાઈવર કંડકટરને વધુમાં વધુ આઠથી દસ કલાકની નોકરી આપવી જોઈએ તેમની લાંબોરૂટ હોય તો વચ્ચમાં કોઈપણ ડેપોમાં કયુચેન આપવું જોઈએ આ પ્રથા ઘણી જુની છે.જયારે પ્રથા ચાલુ હતી.આજે સત્તત ડ્રાઈવર ચોવીસ કલાક ફરજ બજાવે છે તો તે થાકી જાય છે અને તેને સમયસર આરામ મળતો નથી અને છેલ્લે અકસ્માત થાય છે.જેમાં મહામુલી જીંદગીથી હાથ ધોઇને મુસાફર જનતાએ મોતને શરણે થવુ પડે છે અને એસ.ટી.ને કલેમ ચુકવવો પડે છે.તો નિયમનુસાર ડ્રાઈવરને છ કલાકનો આરામ મળતો નથી જેથી આવા બનાવો બને છે.આવા સૌરાષ્ટમાં ધણા રૂટ છે જેમ કે દાહોદ-ગોધરા, ધોઘંબા-મોરબી, છોટા ઉદેપુર-બારીયા, મોરબી-વેરાવળ, દીવ, કોડીનાર, ભુજ ડેપોની પણ ધણી બસો સતત ૨૦ કલાકથી વધારે ફરજ બજાવે છે જે નિગમને તથા પ્રજાને નુકશાનકારક છે.તો વહેલી તકે આવી બસોને કયુચેન આપવુ જોઈએ એવી માંગણી પી.પી.જોષીએ કરેલ છે.






Latest News