મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવરી ગામેથી યુવતી ગુમ


SHARE













વાંકાનેરના રાતીદેવરી ગામેથી યુવતી ગુમ

વાંકાનેર નજીક આવેલ રાતીદેવરી ગામે રહેતા પરિવારની યુવતી ઘરે કોઈને કશું કર્યા વગર જતી રહી છે જેથી ગુમ થયેલ યુવતીના પિતા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા માટેની આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર તાલુકાના રાતીદેવી ગામે રહેતા રમેશભાઈ ગોકળભાઈ વોરા (58)એ તેની દીકરી સોનલબેન રમેશભાઈ વોરા (24) ગુમ થયેલ હોવાની ગુમસુધા ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આપેલ છે જેમાં જણાવ્યુ છેકે, ગત તા. 13/1 ના બપોર 1 વાગ્યાથી લઈને તા.14/1 ના સવારના 4 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેની દીકરી ઘરે કોઈ કશું કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ છે અને તેને શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પતો લાગ્યો નથી જેથી હાલમાં ગુમ થયેલ યુવતીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના માળિયા મીંયાણાના સોનગઢ પાસે બસ પલ્ટી મારી ગઈ હતી જે બનાવમાં સિરિનબેન હાજીભાઈ ચાનિયા (૨૮) તથા ખતીજાબેન રફિકભાઈ સાયચા (૩૫) બંને રહે.વવાણીયાને અત્રે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા તેમજ મહેશભાઈ શાંતિભાઈ પરમાર (૪૧) રહે.ગાંધીધામ (કચ્છ) ને પીપળીયા ચોકડીથી બરાર જતા રસ્તે બસ પલ્ટી મારી જવાના બનાવમાં ઇજા પામેલ હાલતમાં તેઓને પણ અત્રે સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના જુના બસ સ્ટેશન પાસે વાહન સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા દિનેશભાઈ શામજીભાઈ હળવદિયા (૪૫) રહે. લક્ષ્મીનગરને અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News