મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ટંકારના સજનપર ગામથી નીકળતી એસટી બસ બંધ થતાં વિધાર્થીઓ હેરાન


SHARE











ટંકારના સજનપર ગામથી નીકળતી એસટી બસ બંધ થતાં વિધાર્થીઓ હેરાન 

મોરબી જિલ્લાના વાંકાનેરથી ટંકારા તાલુકાના સજ્જનપર થઈને સવારે એસટી બસ આવતી હતી જેમાં વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે મોરબી આવતા હોય છે જો કેઅચાનક જ આ એસટીને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ હેરાન થઈ ગયા છે ત્યારે દરરોજ શાળાએ ભણવા માટે અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક આ એસટી બસને શરૂ કરવામાં આવે તેવી તાલુકા પંચાયતના મહિલા સદસ્ય દ્વારા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી છે. 

ટંકારા તાલુકાના સજ્જનપર ગામના રહેવાસી અને તાલુકા પંચાયતના મહિલા સદસ્ય મનીષાબેન રાજેશભાઇ કોરડીયાએ એસટીના ડેપો મેનેજરને લેખિત રજુઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કેવાંકાનેરથી સજ્જનપર થઈને એસટીની અંબાજી વાળી બસ નીકળતી હતી અને આ બસ સવારે છ વાગ્યે સજ્જનપર આવતી હોવાથી મોરબી અભ્યાસ કરવા માટે જતાં સજ્જનપર ગામના વિદ્યાર્થીઓએ તેમાં મોરબી આવતા હતા જો કેઅચાનક જ આ બેડને રદ કરી દેવામાં આવી છે. જેથી શાળાએ અપડાઉન કરતા ગામના વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી ગયેલ છે જેથી કરીને વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે તાત્કાલિક સજ્જનપર ગામેથી સવારે નીકળતી એસટી બસને ફરીથી શરૂ કરવા માટેની માંગ કરવામાં આવી છે.






Latest News