મોરબીમાં ઘર પાસે બેઠેલા યુવાનને એક શખ્સે માથામાં પથ્થરનો ઘા ઝીકયો: સીસીટીવી વિડીયો થયો વાયરલ વાંકાનેરના જોધપર ગામે દીકરાને હેરાન કરતાં છોકરાઓના પિતાને વાત કરવા ગયેલા યુવાન અને તેના પરિવારજનોને મારમાર્યો મોરબીમાં પરપ્રાંતિય લોકોને મકાન ભાડે આપીને પોલીસને જાણ ન કરનારા બે મકાન માલિક સામે કાર્યવાહી મોરબીમાં યુવાને ઘર પાસે પાર્ક કરેલ બાઇક-સ્કૂટરને તેના જ બે મિત્રો સહિત 3 શખ્સોએ સળગાવી દીધા !: કારણ અકબંધ માળીયા (મી)ના સરવડ ગામે ઘરમાં જુગારની રેડ પકડતા નાસભાગ: 3 પકડાયા-7 ફરાર મોરબીમાં સોની વેપારીની હત્યામાં સંડોવાયેલા સગીરોને પણ કાયદામાં સુધારો કરીને કડકમાં કડક સજા કરો: કે.ડી.બાવરવા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા-વ્યાજ સહિત ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબી જીલ્લામાં 75,432 વીજ ગ્રાહકો પાસેથી બિલની વસૂલાત કરવા માટે કાલથી પીજીવીસીએલની મેગા ડ્રાઈવ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને આજીવન કેદ: 5 આરોપીઓને 5 વર્ષની સખત કેદની સજા


SHARE













વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને આજીવન કેદ: 5 આરોપીઓને 5 વર્ષની સખત કેદની સજા

મોરબી જિલ્લાની સ્પે. પોક્સો કોર્ટમાં વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ અને દુષ્કર્મનો કેસ ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ અને રજૂ કરવામાં આવેલા આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કરેલ છે અને અન્ય 6 આરોપીઓને 5 વર્ષની સજા ફટકારી છે.
કેસની મળતી માહિતી મુજબ ગત તા. 11/11/16 ના રોજ વાંકાનેર તાલુકા વિસ્તરમાંથી રાત્રીના અઢી વાગ્યાના અરસામાં સગીરાનું નરેશ ઉર્ફે મહેશ જયંતીભાઈ સોલંકી નામના શખ્સે લગ્નની લાલચ આપીને છકડો રીક્ષા જીજે 11 ઝેડ 8483 માં અપહરણ કર્યું હતું અને સગીરને વાડીએ લઈ જઈને ત્યાં ગોંધી રાખી હતી અને ત્યાં તેની સાથે આરોપી નરેશ ઉર્ફે મહેશ સોલંકીએ દુષ્કર્મ આચર્યું હતું જેથી કરીને સગીરાને ગર્ભ રહી ગયો હતો અને અન્ય આરોપીઓએ સગીરાને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને આ કેસ મોરબી જીલ્લામાં આવેલ સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ એન.ડી.કારિયાએ રજૂ કરેલા આધાર પુરાવાઓ તેમજ કરેલી દલીલને આધારે કોર્ટે સાત આરોપીઓને કસુરવાન ઠેરવ્યા છે અને આ કેસ ચાલ્યો તે દરમ્યાન આરોપી ચતુરભાઈ મેરૂભાઈ સોલંકી નામના આરોપીનું મોત થયું હતું જેથી કેસ એબેટ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે

હાલમાં કોર્ટે આરોપી નરેશ ઉર્ફે મહેશ જયંતીભાઈ સોલંકીને આજીવન કેદની સજા અને 20 હજારનો દંડ કર્યો છે જયારે આરોપી હરેશ જયંતીભાઈ સોલંકી, જયંતીભાઈ મેરૂભાઈ સોલંકી, દેવકરણભાઈ મસાભાઈ સોલંકી, અવચરભાઈ રણછોડભાઈ સોલંકી, ચનાભાઈ રણછોડભાઈ સોલંકી અને કિશોર જગદીશ સોલંકી રહે. બધા કોટડા નાયાણી તાલુકો વાંકાનેર વાળાને 5 વર્ષની સખત કેદની સજા અને જુદીજુદી કલમ હેઠળ 10 હજારનો દંડ કર્યો છે. અને વિકટીમ કંપન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનારને 4 લાખ અને આરોપીઓ દંડની રકમ ભારે તો તે 95 હજાર સહિત કુલ મળીને 4.95 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ કરેલ છે.








Latest News