ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ધ્રોલ નજીક ભુચર મોરી ખાતે શૌર્ય કથામાં દેવ સોલ્ટના ચેરમેન ડી.એસ.ઝાલાનું કરાયું સન્માન 


SHARE













ધ્રોલ નજીક ભુચર મોરી ખાતે શૌર્ય કથામાં દેવ સોલ્ટના ચેરમેન ડી.એસ.ઝાલાનું કરાયું સન્માન 

રાજપૂત સમાજ "અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘદ્વારા "શૌર્ય કથા સપ્તાહ" નું તા ૨૫ થી ધ્રોલ નજીક ભુચર મોરી ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને આ શૌર્ય કથા તા ૩૧ સુધી ચાલુ રહેવાની છે આ કાર્યક્રમના આયોજનનો હેતુ ક્ષત્રિય સમાજના શહીદો તેમજ વીર પુરોષોણી શૌર્ય ગાથાને ઉજાગર કરવા તથા ઇતીહાસના વીર પુરુષોનું ગૌરવ જળવાઈ અને લોકો સુધી આ વીર પુરુષોની શૌર્ય ગાથા પહોંચાડવા માટેનો છે અને આ શૌર્ય કથા સપ્તાહમાં મોટી સંખ્યમાં રાજપૂત સમાજના લોકો હાજર રહે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે કાર્યક્ર્મમાં રાજપૂત સમાજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના હોદેદારો દ્વારા મોરબી જિલ્લાના માળીયામાં આવેલ દેવ સોલ્ટના ચેરમેન ડી.એસ. ઝાલાને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ મંત્રી હકુભા જાડેજા, કેબીનટ મંત્રી કિરીટસિંહજી રાણા, મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, મહારાજા વાંકાનેર કેશારીદેવસિંહજી, કેબીનટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ ડો.જયેન્દ્રસિંહ જાડેજા (મેનેજિંગ ટ્રસ્ટી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ) હાજર રહ્યા હતા.






Latest News