મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

હળવદના દેવપુર નજીક ટ્રેક્ટરને હડફેટે લઈને ખેડૂત યુવાનનું મોત નિપજાવનાર એસટીની વોલ્વો બસના ચાલક સામે ગુનો નોંધાયો: રફાળેશ્વર ગામેથી બાઈકની ચોરી


SHARE











હળવદના દેવપુર નજીક ટ્રેક્ટરને હડફેટે લઈને ખેડૂત યુવાનનું મોત નિપજાવનાર એસટીની વોલ્વો બસના ચાલક સામે ગુનો નોંધાયો: રફાળેશ્વર ગામેથી બાઈકની ચોરી

હળવદ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ દેવપુર ગામના પાટીયા પાસેથી ટ્રેક્ટર લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રેક્ટરમાં જોડેલ સાતી સાથે એસટીની વોલ્વો બસ અથડાઈ હતી જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં ટ્રેક્ટર પલટી મારી ગયું હતું અને ટ્રેક્ટર લઈને જઈ રહેલા યુવાનને ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બસના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ ચરડવા ગામે ગોપાલનગર ખાતે રહેતા સરસ્વતીબેન શૈલેષભાઈ સોનગ્રા (45) એ હાલમાં એસટીની વોલ્વો બસ નંબર જીજે 7 ટીયુ 5844 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ દેવપુર ગામના પાટીયા પાસેથી તેઓના પતિ શૈલેષભાઈ માવજીભાઈ સોનાગ્રા (45) ટ્રેક્ટર નંબર જીજે 36 એજે 2779 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રેક્ટરની સાતીમાં બસના ચાલકે બસને અથડાવી હતી જેથી ટ્રેક્ટર પલટી મારી ગયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પતિને માથાના ભાગે તથા શરીરે ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એસટીની વોલ્વો બસના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે


બાઈકની ચોરી
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ મચ્છુનગરમાં રહેતા ગૌતમભાઈ વજુભાઈ વામજા (22) નામના યુવાને અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે રફાળેશ્વર ગામે આવેલ ઓમ એન્જિનિયરિંગ કંપનીની બાજુમાં ખાલી જગ્યામાં તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 એબી 6066 પાર્ક કરીને મૂક્યુ હતું. જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 40 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News