હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

ડાકોરમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી


SHARE





ડાકોરમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી

મોરબી પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ડાકોર ખાતેથી સગીરાનુ અપહરણ થયેલ હતું.અને તે બનાવમાં અપહૃત સગીરાને શોધવા માટે તેમજ આરોપીને પકડવા માટે ડાકોર પોલીસ બાતમીના આધારે મોરબી આવી હતી અને બાતમી મુજબ મોરબી ખાતેથી ગુમ થયેલ સગીરા તથા તેની સાથે શકદાર શીવાભાઈ રમણભાઈ નાયક રહે.સેંધવા તા. ગોધરા પંચમહાલ વાળા મળી આવ્યા હોય હાલ બંનેને તપાસના કામે ડાકોર લઈ જવામાં આવ્યા હોવાનું સ્થાનિક પોલીસમાંથી જાણવા મળેલ છે

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે આવેલ શક્તિનગર વિસ્તારમાં રહેતા નથુભાઈ બચુભાઈ રાદડિયા નામના ૬૦ વર્ષના આધેડને અજાણ્યા લોકો દ્વારા માર મારવામાં આવતા સારવાર માટે સિવિલ લાવવામાં આવ્યા હતા.મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા ભરૂબેન મિતેશભાઈ પરમાર નામના ૪૬ વર્ષના મહિલાએ કોઈ કારણોસર તેમના ઘરે બીજા માળેથી નીચે કૂદકો મારતા તેમને અત્રે સારવાર માટે લઈ જવાય હતા અને ત્યાં સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને રાજકોટથી પરત મોરબીની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હોવાનું તેમજ તેઓની માનસીક બીમારી સબબ દવા ચાલુ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

દવા પી જતા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકાના સરૈયા ગામે વાડી વિસ્તારમાં કપાસમાં છાંટવાની દવા પી લેતા લક્ષ્મણભાઈ રેવાસીંગ કતીજા નામના ૪૫ વર્ષના યુવાનને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે લાલપર ગામે રહેતા ગંગાબેન નામના ૪૦ વર્ષના મહિલાને સુરેશભાઈ મારવાડી સાથે ઝઘડો થતાં તેઓએ દિવાલમાં માથું અથડાવેલ હોય ગંગાબેનને સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના નવલખી હાઇવે જેપુર ગામે ઘરે થયેલ મારામારીના બનાવમાં શૈલેષભાઈ ડાયાભાઈ જમાસણા નામના ૪૭ વર્ષના યુવાનને ઇજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સુત્રોએ માહિતી આપતા જણાવેલ છે.




Latest News