હેરોઇન ડ્રગ્સનો જથ્થો લેવા ૨૯ લાખનું આંગળિયું લેવા માટે કોણ ગયું હતું ?
મોરબીમાં સરદાર બાગ નજીક રહેતા આધેડે ઝેરી દવા પી લેતા મોત
SHARE









મોરબીમાં સરદાર બાગ નજીક રહેતા આધેડે ઝેરી દવા પી લેતા મોત
મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાછળ આવેલ ન્યુ આદર્શ સોસાયટીમાં રહેતા પટેલ આધેડે ઝેરી દવા પી લેતાં તેમનું ટુંકી સારવારમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના શનાળા રોડ સરદારબાગ પાછળ આવેલી ન્યુ આદર્શ સોસાયટીમાં રહેતા વસંતભાઈ નાનજીભાઈ રાજપરા નામના ૫૩ વર્ષીય આધેડે તેઓના ઘેર તા.૩૦ ના અગિયારેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લેતાં તેમને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.જયાં ટૂંકી સારવાર દરમિયાન વસંતભાઈ રાજપરાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવના પગલે રાજકોટથી તપાસ અંગેના કાગળો આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ જે.એ.ઝાલાએ બનાવ અંગે નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
દારૂ સાથે પકડાયો
મોરબીના પીપળીયા ગામે બાલાજી મંદિર સામે રહેતો જગદીશ પ્રેમજી જાદવ નામનો ૨૪ વર્ષીય યુવાન મોરબીના વાવડી રોડ ઉપરથી જતો હતો ત્યાં રસ્તામાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે તેને આંતરીને તેની ઝડતી લેતા તેની પાસેથી એક બોટલ દારૂ મળી આવતા રૂપિયા ૭૫૦ ની કિંમતના દારૂ સાથે જગદીશ જાદવની ધરપકડ કરવામાં આવી હતી.
