મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીની બે શાળાને વધુ એક વખત મળ્યું સંસ્કૃત સન્માન


SHARE





મોરબીની બે શાળાને વધુ એક વખત મળ્યું સંસ્કૃત સન્માન

સંસ્કૃત ભારતી મોરબી જનપદ સંયોજક કિશોરભાઈ શુક્લએ જણાવ્યુ હતું કે, દર વર્ષે યોજાતી સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રથમ ક્રમે મોરબીની સાર્થક વિદ્યામંદિર અને દ્વિતીય ક્રમે સરસ્વતી શિશુ મંદિરને સન્માન પ્રાપ્ત થયું છે. ઉલ્લેખનીય છે કે સંખ્યાની દ્રષ્ટિએ સમગ્ર પ્રાંતમાં સતત ત્રીજા વર્ષે મોરબી જિલ્લો પ્રથમ ક્રમે છે. તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે મોરબીની બે શાળા આવી છે. જે સંસ્કૃત ભારતી તેમજ મોરબી માટે આ ગૌરવની ક્ષણો છે. સંસ્કૃત ભારતી ગુજરાત પ્રદેશ તેમજ સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા, શિક્ષણ મંત્રી ડો પ્રદ્યુમનભાઈ વાજા, સંસ્કૃત સાહિત્ય અકાદમીના ડો. જયેન્દ્રસિંહ જાદવ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જગદીશ જોશી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. સુકાંત કુમાર સેનાપતિ અને પી.એમ પટેલ વગેરે સંસ્કૃત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News