મોરબી પાસે એક ક્રેટા અને બે સ્કોર્પીયો કારમાંથી રાજકોટના ચાર સહિત છ શખ્સો નશાની હાલતમાં પકડાયા સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા તેજસ્વીતા અભિવાદન સમારોહનું આયોજન મોરબીની બે શાળાને વધુ એક વખત મળ્યું સંસ્કૃત સન્માન મોરબીમાં શ્રી આર્યતેજ હોમિયોપેથી એન્ડ જનરલ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથી કેમ્પ યોજાયો મોરબી-વાંકાનેર હાઇવે ઉપર કારખાને જતી યુવતીઓની પજવણી કરતા આઇસર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ આરોપીને મદદગારી કરનાર શખ્સની ધરપકડ મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ટેન્કરની કેબીનમાં આગ લાગતા વાહનમાં નુકસાન મોરબીમાં કબ્રસ્તાન પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ યુવાનનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીની બે શાળાને વધુ એક વખત મળ્યું સંસ્કૃત સન્માન


SHARE







મોરબીની બે શાળાને વધુ એક વખત મળ્યું સંસ્કૃત સન્માન

સંસ્કૃત ભારતી મોરબી જનપદ સંયોજક કિશોરભાઈ શુક્લએ જણાવ્યુ હતું કે, દર વર્ષે યોજાતી સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રથમ ક્રમે મોરબીની સાર્થક વિદ્યામંદિર અને દ્વિતીય ક્રમે સરસ્વતી શિશુ મંદિરને સન્માન પ્રાપ્ત થયું છે. ઉલ્લેખનીય છે કે સંખ્યાની દ્રષ્ટિએ સમગ્ર પ્રાંતમાં સતત ત્રીજા વર્ષે મોરબી જિલ્લો પ્રથમ ક્રમે છે. તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે મોરબીની બે શાળા આવી છે. જે સંસ્કૃત ભારતી તેમજ મોરબી માટે આ ગૌરવની ક્ષણો છે. સંસ્કૃત ભારતી ગુજરાત પ્રદેશ તેમજ સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા, શિક્ષણ મંત્રી ડો પ્રદ્યુમનભાઈ વાજા, સંસ્કૃત સાહિત્ય અકાદમીના ડો. જયેન્દ્રસિંહ જાદવ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જગદીશ જોશી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. સુકાંત કુમાર સેનાપતિ અને પી.એમ પટેલ વગેરે સંસ્કૃત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News