સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા તેજસ્વીતા અભિવાદન સમારોહનું આયોજન
SHARE
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા તેજસ્વીતા અભિવાદન સમારોહનું આયોજન
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજની ઉત્કર્ષ યોજના અનુસાર ઉચ્ચ અભ્યાસમાં સારું પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓએ મહાનુભાવોને સન્માનવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેના ભાગ રૂપે વિદ્યાર્થીઓ પાસેથી માર્ક શીટ મંગાવવામાં આવેલ છે અને મહાનુભાવોની વિગતો મેળવાવવામાં આવી રહી છે અને આ કાર્યક્રમ આગામી દિવસોમાં ગોંડલ ખાતે યોજાશે.
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડો.અનિલભાઈ મહેતા તથા ઉપપ્રમુખ છેલભાઈ જોશીએ જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર કચ્છના બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને મહાનુભાવોને સન્માનવાનો કાર્યક્રમ આગામી દિવસોમાં શ્રી ઘનશ્યામજી મહારાજ ભુવનેશ્વરી પીઠ, ગોંડલના સાનિધ્યમાં યોજવાનો છે. આ તેજસ્વીતા અભિવાદન સમારોહમાં એસ.એસ.સી, એચ.એસ.સી, બી.એ. બી.કોમ., બી.એસસી., બીએસસી-હોમ સાયન્સ., બી.સી.એ., એલ.એલ.બી., એમ.એ., એમ.કોમ.,
એમ.એસ.સી., બી.એ.એમ.એસ., બી.એચ.એમ.એસ., ડી.એચ.એમ.એસ., એમ.બી.બી.એસ., ડી.ઈ., બી.ઇ., એમ.ઇ., બી.ટેક., ફાઇન આર્ટસ તથા જર્નાલિઝમમાં છેલ્લા વર્ષમાં માર્ચ 2026 અને ત્યાર પછી આવેલ પરિણામોમાં ઉત્તેર્ણ થનાર વિદ્યાર્થીઓની માહિતી મંગાવવામાં આવે છે. આ ઉપરાંત વર્ષ 2025-26 માં રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે ગુજરાત સરકાર કે ભારત સરકાર તરફથી શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ પ્રાપ્ત કરેલ મહાનુભાવોને પણ સન્માનવામાં આવશે જેથી વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની પાછળ પોતાનું નામ, સરનામું તેમજ પોતાનો તથા તેમના વાલીનો મોબાઈલ નંબર સ્પષ્ટ અક્ષરે લખીને વિદ્યાર્થીઓએ પોતાની માહિતી તા. 16/8/2026 સુધીમાં ડી.જી.મહેતા (મેનેજિંગ ટ્રસ્ટી, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ, ટ્રસ્ટ. સમસ્ત બ્રાહ્મણ બોર્ડિંગ, સ્ટેશન રોડ, અમરેલી મો. 9428621600)ને મોકલવી આપવાના રહેશે.









