મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં કારકિર્દી સેમિનાર યોજાશે


SHARE





મોરબીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં કારકિર્દી સેમિનાર યોજાશે

મોરબી જિલ્લાના સરકારી નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તેજસ્વી યુવાનોને ઘરઆંગણે સચોટ માર્ગદર્શન મળી રહે તે હેતુથી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ના સંયુક્ત ઉપક્રમે આજે કારકિર્દી માર્ગદર્શક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, મોરબી મહાપાલિકાના મેયર ઉત્તમ સુરાણી તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા

વર્તમાન સમયમાં યુવાનો યુપીએસસી જીપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે થઈને તૈયારીઓ કરતા હોય છે ત્યારે જો યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળી રહેતો તેઓ ઝળહળથી સફળતા મેળવી શકે છે જેથી કરીને મોરબીમાં રોજગાર વિનિમય કચેરી તથા આઇટીઆઇ દ્વારા “UPSC/ GPSC તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો સહિતના વિદ્યાર્થી માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ શિવ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં જિલ્લા રોજગાર કચેરીના વિષય નિષ્ણાત કર્મચારીઓ અને કેરિયર કાઉન્સિલર્સ દ્વારા દેશ અને રાજ્ય સ્તરની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની વૈજ્ઞાનિક ઢબે તૈયારી કરવા, અભ્યાસક્રમની સમજ અને પરીક્ષા પાસ કરવાની વ્યૂહરચના વિશે વિસ્તૃત તેમજ સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હાજર રહ્યા હતા અને તેઓએ સરકારની વિવિધ યોજનાઓ અને ખાસ કરીને ઉચ્ચ અભ્યાસ અને વિદેશ અભ્યાસ માટે જે સહાય મળે છે તેનો લાભ લઈને વિદ્યાર્થીઓ વધુમાં વધુ ભણે અને જીવનમાં સારી કારકિર્દી બનાવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

આ તકે હાજર રહેલા મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, આઈટીઆઈ માં વિવિધ કોર્સ ચલાવીને યુવાનો પગભર થાય તેના માટે સરકાર દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ કરીને યુપીએસસી અને જીપીએસસી ની પરીક્ષાનો ગોલ સેટ કરીને વિદ્યાર્થીઓ દ્વારા જો તૈયારીઓ કરવામાં આવે તો અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ તેઓને ખૂબ મોટો ફાયદો થઈ શકે છે. આ સેમિનારમાં જિલ્લાના તમામ ઈચ્છુક યુવા ઉમેદવારો આવ્યા હતા અને કારકિર્દી માર્ગદર્શન સેમીનારનો લાભ લીધેલ હતો.




Latest News