મોરબી મહાપાલિકામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને સંકલનની બેઠક યોજાઈ
SHARE
મોરબી મહાપાલિકામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને સંકલનની બેઠક યોજાઈ
મોરબી નગરના સર્વાંગી વિકાસને ગતિ આપવા અને સ્થાનિક જનસુખાકારીના પ્રશ્નોના કાયમી નિવારણ અર્થે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી મહાપાલિકાના પદાધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ સાથે સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં મંત્રીએ મોરબીના ઉજ્જવળ ભવિષ્ય માટે નગરની આંતરમાળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. મંત્રીએ ઉપસ્થિત સૌને લોકપ્રતિનિધિ તરીકેની ગરિમા જાળવી રાખીને સંપૂર્ણ વહીવટી પારદર્શિતા સાથે પ્રજાલક્ષી કાર્યો અગ્રતાના ધોરણે પૂર્ણ કરવા ખાસ સૂચન કર્યું હતું. આ બેઠકમાં મોરબી મહાપાલિકાના મેયર ઉત્તમ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, કમિશનર શ્રીમતી સંગીતાબેન રૈયાણી તથા ડેપ્યુટી કમિશનર સંજય સોની મનપાની વિવિધ સમિતિઓના ચેરમેનઓ, કોર્પોરેટરો સહિતના હાજર રહ્યા હતા.