મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના કુલીનગરમાં યુવાને ઘરમાં પ્લાસ્ટિકના વાયરથી ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE











મોરબીના કુલીનગરમાં યુવાને ઘરમાં પ્લાસ્ટિકના વાયરથી ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ કુલીનગરમાં રહેતા યુવાને પોતાના ઘરના ઉપરના માળે અાવેલા રૂમમાં પ્લાસ્ટિકના વાયર વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ કુલીનગર શેરી નંબર-૧ માં રહેતા શબ્બીરભાઈ ગફુરભાઈ અજમેરી જાતે મુસ્લિમ (ઉંમર ૪૪) એ પોતાના ઘરની અંદર પ્લાસ્ટિકના વાયર (ઈલેક્ટ્રીક વાયર) થી ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો જેથી કરીને તેમના મૃતદેહને મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલા આયુષ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી હતી.બનાવની તપાસ ચલાવી રહેલા એએસઆઇ વી.ડી.મેતાના જણાવ્યા પ્રમાણે મૃતક શબ્બીરભાઇ થોડા માનસિક અસ્વસ્થ હતા અને તેમને ત્રણ સંતાનો હોય અને પોતે હાલ કંઈ કામ ધંધો કરતા ન હોય અને તે ગઈકાલે કોઈ માનસિક આવેશમાં આવીને તેઓએ અંતિમ પગલું ભરી લીધું હોવાથી તેમનું મોત નિપજયુ હતુ અને આ અંગે આગળની તપાસ ચાલુ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામ નજીકના સિરામિક સિટી વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ મનુભાઈ અગ્રાવત નામનો ૪૫ વર્ષીય યુવાન કારખાનેથી બાઈક લઈને ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત મહેન્દ્રભાઇને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા ખાડા વિસ્તારમાં રહેતી મદીનાબેન હાસમભાઇ ફકીર નામની ૧૫ વર્ષીય સગીરાને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી. તેમજ જેતપરના નવાપરા વિસ્તારમાં રહેતા રાજેશ બચુભાઇ દેગામા નામના ૨૮ વર્ષીય યુવાનને બાઈક સ્લીપ થઈ જવાના બનેલા બનાવમાં ઇજાઓ થવાથી તેને પણ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.






Latest News