મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેર સિવિલ હોસ્પિટલના ત્રણ ડોક્ટરને કોરોના પોઝિટિવ, એક ટ્રેનિંગમાં ?: દર્દીઓ રામ ભરોસે !


SHARE











(શાહરૂખ ચૌહાણ) મોરબી જિલ્લાના પાંચ તાલુકાની અંદર કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને વાત કરીએ મોરબી જીલ્લાના વાંકાનેરની તો વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો આવતા હોય છે તેવા સમયે વાંકાનેર સિવિલ હોસ્પિટલના ત્રણ ડોક્ટરોને કોરોના પોઝિટિવ આવે છે અને એક ડોક્ટર ટ્રેનિંગમાં ગયા હોવાથી હાલમાં સિવીલમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓ રામ ભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે

મોરબી સહિત સમગ્ર ગુજરાત અને દેશ તેમજ દુનિયામાં હાલમાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સબ સલામતની વાતો કરવામાં આવી રહી છે તેની વચ્ચે જો વાત કરીએ મોરબી જીલ્લાના વાંકાનેર શહેરની તો વાંકાનેર શહેરની અંદર આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે વાંકાનેર શહેર તેમજ તાલુકાના લોકો સારવાર લેવા માટે આવતા હોય છે તેવામાં વાંકાનેર સિવિલ હોસ્પિટલની અંદર ફરજ બજાવતા ત્રણ ડોક્ટરોને કોરોના પોઝીટીવ આવેલ છે અને એક ડોક્ટર ટ્રેનિંગમાં હોવાથી હાલમાં આ હોસ્પિટલની અંદર દર્દીઓની સારવાર કરવા માટે થઈને ડોક્ટર ન હોય સવારથી સારવાર લેવા માટે આવતા દર્દીઓ હેરાન થઇ રહ્યા છે આ મુદ્દે સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના ડોકટરોને કોોના પોઝીટીવ આવેલ છે તેની જાણ તેમણે ઉચ્ચ કક્ષાએ કરી દિધી છે જો કે, ડોક્ટરની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી  માટે હાલમાં દર્દીઓની સારવાર કરવા કોઈ ડોક્ટર ન હોવાથી કોઈપણ કેસ સિવિલમાં આવે તો તેને રાજકોટ કે મોરબી રવાના કરવામાં આવે છે અને કોરોનાના વધતા કેસ વચ્ચે હાલમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ભરોસો હોય તેવો ઘાટ સર્જાયો છે






Latest News