મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીના ૩૧ મતોનું સસ્પેન્સ યથાવત, હવે ૩ ફેબ્રુઆરી જોવાતી રાહ


SHARE











વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીના ૩૧ મતોનું સસ્પેન્સ યથાવત, હવે ૩ ફેબ્રુઆરી જોવાતી રાહ

મોરબી જીલ્લાના વાંકાનેર માર્કેટ યાર્ડની ૧૨-૧ ના મતગણતરી હતી જો કે, હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવેલ છે જેથી ૩૧ મતને પેન્ડિંગ રાખવામાં આવ્યા છે જેની મુદત 25 તારીખની હતી જો કે, આ કેસમાં વધુ એક વખત મુદત પડી છે જેથી કરીને આગામી તા.૩-૨ પછી જ આ મતોનો નિર્ણય આવશે અને ત્યાં સુધી તે ૩૧ મતોનું સસ્પેન્સ યથાવત રહેશે અને કોંગ્રેસ તથા ભાજપ બંનેની મૂંઝવણ પણ યથાવત જ રહેશે.આ ૩૧ મતોની ગણતરીનું નક્કી કરવામાં આવશે પછી જ ફાઇનલ જનઆદેશ જાહેર કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

મોરબી જિલ્લામાં આવતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો ચૂંટણીમાં વિજય મેળવતા આવ્યા છે જોકે આ વખતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર હતી અને ગત ૧૨ મી તારીખે મતગણતરી શરૂ કરવામાં આવી ત્યારથી બંને પક્ષના ઉમેદવારો વચ્ચે અનેક ચડાવ ઉતાર જોવા મળ્યા હતા અને મતગણતરીમાં સંઘની બેઠક પરથી કોંગ્રેસ પ્રરેરિત ઉમેદવારનો વિજય થયો છે જ્યારે વેપારી પેનલની અંદર ચાર-ચાર કોંગ્રેસ અને ભાજપ પ્રરેતિ ઉમેદવારો વિજય બન્યા છે અને જો વાત કરીએ ખેડૂત પેનલની તો કુલ મળીને દસ ઉમેદવારો માટે થઈને બંને પક્ષના ૧૦-૧૦ સભ્યો તેમજ એક અપક્ષ ઉમેદવાર આમ કુલ ૨૧ ઉમેદવારો તે ચૂંટણી જંગમાં છે અને જે તે દિવસે મતગણતરીને પૂર્ણ કરવામાં આવી ત્યારે કોંગ્રેસના આઠ અને ભાજપના બે ઉમેદવારો વિજેતા થતાં હોય તેવું ચિત્ર હતું પરંતુ ચૂંટણી પહેલા હાઇકોર્ટની અંદર મતદારોને લઈને પીટીશન કરવામાં આવી હતી અને જુદી જુદી ત્રણ પીટીશનના લીધે જુદીજુદી ત્રણ મંડળીઓના કુલ મળીને ૩૧ મતોને અનામત રાખવામાં આવેલા છે.

આ પીટીશનની પહેલા તારીખ 18 પડી હતી જો કે, ત્યારે કેસ ચાલેલ નહી અને ૨૫ મીની મુદત પડેલ હતી. પરંતુ આજે પણ કેસ ચાલેલ નથી અને આગામી તારીખ 3-2 ની મુદત પડી છે જેથી તેની રાહ જોવાઇ રહી છે અને હાઇકોર્ટ દ્વારા 31 મત માટે થઈને આદેશ કરવામાં આવે ત્યાર પછી તે મતોની ગણતરી કરવામાં આવે અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડનું ફાઇનલ ચિત્ર જાહેર કરવામાં આવશે. જો કે હાલમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ભાજપ કે કોંગ્રેસ કોનો વિજય થયો તે સ્પષ્ટ થયું નથી માટે બંને મૂંઝવણમાં છે અને ૩૧ મતોનું સસ્પેન્સ કે જે આજ તા.૨૫ સુધી હતુ તે આજે પણ કોર્ટમાં કેશ બોર્ડ ઉપર ન આવતા અને આગામી મુદત તા.3-2 સુધી યથાવત રહેશે હજુ આગામી તા.૩ જી ફેબ્રુઆરી સુધી ચુકાદો પેન્ડીંગ જ રહેશે.






Latest News