મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ મોરબીના ઘૂટું ગામે યુવાનને બે શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં હેમરેજ વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો
Breaking news
Morbi Today

મોરબીના સરતાનપર રોડ ઉપર મશીનનો બેલ્ટ બદલાવતા સમયે હાથ આવી જતાં મહિલાનું મોત


SHARE













મોરબીના સરતાનપર રોડ ઉપર મશીનનો બેલ્ટ બદલાવતા સમયે હાથ આવી જતાં મહિલાનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે સરતાનપર રોડ ઉપરના કારખાનાની અંદર મશીનનો કન્વેન્યર બેલ્ટ બદલાવતા સમયે હાથ મશીનમાં આવી જવાથી મહિલાનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે સરતાનપર રોડ ઉપરના સેટમેક સીરામીકમાં કન્વેન્યર બેલ્ટને બદલાવતા સમયે હાથ મશીન અને બેલ્ટની વચ્ચે આવી જતાં હાથ મશીનમાં ખેંચાઇ જવાથી માથાના ભાગે પછડાટ લાગતા વર્ષાબેન નગીનભાઈ બારીયા નામના ૩૧ વર્ષીય મજુર મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જેથી કરીને તેઓના ડેડબોડીને પીએમ અર્થે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું.બનાવ સંદર્ભે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલે પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાં બન્યો હોવાથી વાંકાનેર તાલુકા પોલીસને બનાવ સંદર્ભે જાણ કરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના હરીપર (કેરાળા) ગામના ગીતાબેન હીરાભાઈ પાંચીયા અને હિરાભાઈ સુરાભાઈ પાંચીયાને લક્ષ્મીનગર ગામ પાસેના પેટ્રોલ પંપ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થવાથી બંનેને સારવાર માટે લઈ જવાયા હતા જ્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુર ગામે ચુલામાં દાઝી ગયેલ કોમલબેન અરવિંદભાઈ મકવાણા નામની પાંચ વર્ષીય બાળાને સારવાર માટે મોરબી સિવિલે દાખલ કરવામાં આવી હતી.

વૃદ્ધ સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર આવેલી અરિહંત સોસાયટીમાં રહેતા હરજીવનભાઈ કરમશીભાઇ મેરજા નામના ૬૨ વર્ષીય વૃદ્ધ ઘરેથી કામ સબબ બહાર જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઇક જીઆઈડીસી પાસે સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત હરજીવનભાઈ મેરજાને સારવાર માટે ખસેડાયા હતા.જયારે મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા પરાગભાઈ લાભશંકર મોદી નામના ૫૭ વર્ષીય આધેડે ફિનાઇલ પી લેતાં તેમને પણ સારવારમાં ખસેડાયા હતા.પોલીસ મથકના હમીરભાઇના જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી પરાગભાઇ કામ કરી શકતા ન હોય માનસિક બીમાર રહેતા હોય અને પત્નીએ કામ કરવું પડતું હોય તેમજ સંતાનમાં બે દીકરીઓ હોય તે બાબતે મનોમન લાગી આવતાં તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હતું.






Latest News