મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની જાણ કરવા પોલીસની અપિલ
SHARE
મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની જાણ કરવા પોલીસની અપિલ
મોરબીની સગીરાનું અપહરણ કરી આરોપી નિકુંજ ભગવાનજી સોરઠીયા રહે. લોઠિયા તાલુકો જામનગર વાળો ભાગી છૂટ્યો છે જે અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આજદિન સુધી પરિવારજનોને સગીરાનો પતો ન મળતો હોય પરિવારજનોએ હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ દાખલ કરાઈ હતી
ત્યારબાદ પોલીસે આરોપીની ઓળખ અને ફોટો જાહેર કરી આરોપીની ભાળ મળે તો માહિતી આપવા અપીલ કરી છે. આ આરોપી અંગે કોઇપણ શહેરીજનોને જાણ થાય તો મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના ફોન નંબર (02822 243478) અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ઇન્સ્પેકટર મોબાઇલ નંબર 97274 87777 અને 99797 97788 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.