મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર પાસે અજાણી કારના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા


SHARE











વાંકાનેરના અમરસર પાસે અજાણી કારના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા

 વાંકાનેર રાજકોટ રોડ ઉપર આવેલ અમરસર ગામની સીમ પાસે અજાણી કારના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને એક યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજયું છે અને અન્ય એક યુવાનને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલા યુવાને કાર ચાલકની સામે વાકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને અજાણી કારના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર રાજકોટ હાઇવે ઉપર આવેલા અમરસર ગામની સીમમાં દૂધની ડેરી પાસેથી ડબલ સવારી બાઈક પસાર થતું ત્યારે અજાણી કારના ચાલકે તે બાઇકને અડફેટે લીધૂ હતું જેથી બાઇક ઉપર જઇ રહેલા સોનુભાઈ કુકાભાઈ આધરોજીયા (ઉંમર ૨૭) રહે. મહેન્દ્રનગર ગામ મફતીયાપરા વાળો તેમજ લાખાભાઈ મનજીભાઈ કુંઢીયા (ઉંમર ૨૩) રહે પાડધરા તાલુકો વાંકાનેર વાળા બાઇક પરથી નીચે પટકાયા હતા અને ત્યારે લાખાભાઈને શરીરે નાનીમોટી ઈજાઓ થઈ હતી જોકે, સોનુભાઈને માથાના ભાગે અને છાતીના ભાગે ગંભીર ઇજા થઇ હોવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અને આ અકસ્માત સર્જીને કાર ચાલક પોતાનું વાહન લઇને ત્યાંથી નાશી ગયો હતો જેથી કરીને હાલમાં સારવાર લીધા બાદ લાખાભાઇ મનજીભાઈ કુંઢીયાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા કારચાલકે સામે અકસ્માતની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને અજાણી કારના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News