મોરબીના નહેરૂ ગેઇટ ચોક પાસે મહિલા શૌચાલય ન બને તો આંદોલનની ચીમકી !
મોરબીના વીસીપરામાં ચા બનાવતા દાઝી ગયેલ આધેડ સારવારમાં
SHARE
મોરબીના વીસીપરામાં ચા બનાવતા દાઝી ગયેલ આધેડ સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ફૂલછાબ કોલોનીમાં રહેતા બસીરભાઈ અબ્દુલભાઈ ગાલબ જાતે ઘાંચી નામના આધેડ તેમના ઘેર રસોડામાં ચા બનાવતા હતા ત્યારે ગેસ લીકેજ હોય અને દિવાસળી કરતાં આગની જાર લાગી હતી જેમાં મોઢા અને પેટના ભાગે દાઝી ગયેલી હાલતમાં બસીરભાઈ અબ્દુલભાઈ ગાલબ નામના ૫૨ વર્ષીય ઘાંચી આધેડને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.બનાવની બી ડિવિઝન પોલીસને જાણ થતાં બીટ જમાદાર વશરામભાઇ મેતાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
મારામારીમાં ઇજા
મોરબીના સામાકાઠે સાયન્સ કોલેજ પાસે આવેલા બૌધ્ધનગર વિસ્તારમાં રહેતા અને રીક્ષાડ્રાઇવીંગનું કામ કરતા અજય અશોકભાઇ કુરીયા નામના ૨૮ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા તેને સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને પોલીસ નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે, તે પોતે તેના મિત્ર કનૈયાભાઈના ઘર પાસે રિક્ષા લઈને ઉભો હતો ત્યારે ત્યાં આવેલા કોઇ વ્યક્તિએ 'અહીં કેમ ઊભા છો..?' તેમ કહીને ઝઘડો કર્યા બાદ તેને માર માર્યો હતો તેથી તેને સારવાર માટે લઇ જવાયો હતો.
મહિલા સારવારમાં
મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર અરૂણોદયમિલની સામે આવેલા મફતપરા વિસ્તારમાં રહેતી ભાનુબેન ભરતભાઈ રાઠોડ નામની ૪૩ વર્ષીય મહિલાએ તા.૭ ના રાત્રીના દસ વાગ્યે આયોઝોમલ નામની દવાની ૧૫ જેટલી ટીકડીઓ એકી સાથે ખાઈ લેતા તેણીને અસર થવાથી ભાનુબેન રાઠોડને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવતા હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.