ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ઢુવા પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બે પૈકીના એકને અમદાવાદ ખસેડાયો


SHARE













મોરબીના ઢુવા પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બે પૈકીના એકને અમદાવાદ ખસેડાયો

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ટીંબડીથી લઇને વઘાસીયા ટોલનાકા સુધીના ભાગે છાશવારે વાહન અકસ્માતના બનાવો બની રહ્યા છે.કારણ કે આ ભાગમાં અનેક સિરામીક તેમજ અન્ય યુનીટો તેમજ અન્ય ધંધાદારી એકમો આવેલા છે જોકે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા યોગ્ય રીતે અહીં સર્વે કરવામાં આવતો ન હોય અને જુદીજુદી રીતે જે પ્રમાણે સર્વિસ રોડ ઉપરથી હાઇવે ઉપર અને હાઈવે ઉપરથી સર્વિસ રોડ ઉપર જવા માટે જે રસ્તાઓ બનાવવામાં આવ્યા છે જેમાં વાહન ચાલકે ના છુટકે રોંગ સાઈડમાં ચાલવું પડે તેવા બેદરકારીભર્યા નિર્ણયોને લઈને છાશવારે વાહન અકસ્માતો થાય છે માટે અહીં પુન: સર્વે કરીને જૂવલેણ અકસ્માતો નિવારવા યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ.તે માટે એક ગામથી બીજા ગામ સુધીમાં હાઇવે ઉપર ચડવા રે ઉતરવાના તમામ રસ્તાઓ બંધ કરવા જોઈએ અને ગામની મુખ્ય જગ્યાએ સર્કલ બનાવી ત્યાંથી જ વાહનો હાઇવે ઉપર ચડે કે ઉતરે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તો આ વાહન અકસ્માતનો સીલસીલો અટકાવી શકાય અને નિર્દોષ લોકોને અકસમાતના ભોગ બનતા પણ અટકાવી શકાય તેમ છે પરંતુ આમ કરવામાં કોઈ તસ્દી લેતું નથી માટે વધુ એક અકસ્માત બનાવનો ઉમેરો થયો છે.

જેમાં ગત મોડીરાત્રીના એકાદ વાગ્યાના અરસામાં વાંકાનેરના ઢુઆ પાસે આવેલ વરમોરા સીરામીક પાસેથી ડબલ સવારીમાં જતા બે યુવાનોને અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લેતાં બંને ઈજાગ્રસ્તોને પ્રથમ અહિંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાંથી એકને વધુ ગંભીર ઇજાઓ હોય અમદાવાદ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર રોડ ઉપર રહેતા અને મજૂરી કામ કરતાં જીતેન્દ્ર જીવાજીભાઈ (ઉમર ૩૩) અને મુકેશનિસાર અશોકનીસાર (ઉમર ૨૨) નામના બે યુવાનો ડબલ સવારીમાં બાઇક લઇને વાંકાનેર હાઇવે ઉપરથી જતા હતા ત્યારે મોડી રાતના એકાદ વાગ્યે ઢુવા પાસેના વરમોરા સિરામિક નજીક કોઈ અજાણ્યા ટ્રકચાલકે તેમના બાઈકને હડફેટે લેતા જીતેન્દ્ર અને મુકેશને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં રાબેતા મુજબ બંનેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને જીતેન્દ્રની હાલત નાજુક જણાતાં તેને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.હાલ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહીલે પ્રાથમિક તપાસ કરીને બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાં બન્યો હોય બનાવ સંદર્ભે ત્યાં જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.

માથામાં નાખવાની હેર ડાઈ પી જતા સારવારમાં

મોરબીના વીસીપરામાં રહેતા અને પાણીપુરીનો ધંધો કરતાં રામનરેશ ભરતભાઈ નિસાર નામનો ૧૯ વર્ષીય પરપ્રાંતિય યુવાન માથામાં નાંખવાની હેર ડાય પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે અહીં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતાએ તપાસ કરતા ખૂલ્યું હતું કે ગત રાત્રીના રામનરેશને પેટમાં દુખાવો ઉપડતાં પાણીમાં જલજીરા સમજીને ભૂલથી માથામાં નાંખવાની કલર ડાયનો પાવડર પી જતાં તેને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના માધાપરા વિસ્તારની શેરી નંબર-૩ માં રહેતો રમેશ પ્રેમજીભાઈ હડીયલ નામનો યુવાન બાઈકમાં જતો હતો ત્યારે કેનાલ રોડ ઉપર ગોકુલ-મથુરા એપાર્ટમેન્ટ નજીક તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત રમેશભાઇને સારવાર માટે અહીં આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.






Latest News