મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દરબારગઢ પાસે બાઇક મૂકીને હનુમાનજીના દર્શન કરવા ગયેલા યુવાનને માર માર્યો


SHARE











વાંકાનેરમાં દરબારગઢ પાસે બાઇક મૂકીને હનુમાનજીના દર્શન કરવા ગયેલા યુવાનને માર માર્યો

વાંકાનેર શહેરમાં દરગાહ દરબારગઢ વાળી શેરીમાં હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે બાઇક લઇને ગયેલા યુવાને પોતાની બાઈક ત્યાં પાર્ક કર્યું હતું જેને લઈ લેવા માટે એક શખ્સે તેને કહ્યું હતું ત્યારે યુવાનને દર્શન કરીને તરત જ નીકળી જાઉં છે તેવું કહેતા તે આરોપીને સારું લાગ્યું હતું માટે તેને ગાળો આપીને માથામાં લાકડી ફટકારી હતી જેથી યુવાનને માથામાં સાત ટાંકા આવ્યા હતા અને યુવાનોને સારવાર લીધા બાદ હાલમાં એક શખ્સની એસએમે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં દરબાર ગઢ અપ્સરા શેરીમાં રહેતા ઘનશ્યામભાઈ કનૈયાલાલ દંગી જાતે કંસારા (ઉંમર ૪૫) ત્યાં હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા ત્યારે તેઓએ હનુમાનજી મંદિર પાસે પોતાનું બાઇક શેરીમાં પાર્ક કર્યું હતું જે બાઇકને લઈ લેવા માટે થઈને ત્યાં દરબારગઢ પાસે રહેતા અનિરુદ્ધસિંહ ઉર્ફે લોલો ગંભીરસિંહ ઝાલાએ કહ્યું હતું અને ત્યારે ઘનશ્યામભાઈએ દર્શન કરીને આવે એટલે તરત નીકળી જશે તેવું કહેતા અનિરુદ્ધસિંહ ઝાલાને સારું નહીં લાગતા તેણે ઘનશ્યામભાઈને ગાળો આપી હતી અને ત્યારબાદ તેના હાથમાં રહેલી લાકડી ઘનશ્યામભાઈને માથામાં કપાળ ઉપર ફટકારી હતી જેથી ઘનશ્યામભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને ટાંકા આવ્યા હતા માટે ઘનશ્યામભાઈસારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અનિરુદ્ધસિંહ ઝાલાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News