મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દરબારગઢ પાસે બાઇક મૂકીને હનુમાનજીના દર્શન કરવા ગયેલા યુવાનને માર માર્યો


SHARE











વાંકાનેરમાં દરબારગઢ પાસે બાઇક મૂકીને હનુમાનજીના દર્શન કરવા ગયેલા યુવાનને માર માર્યો

વાંકાનેર શહેરમાં દરગાહ દરબારગઢ વાળી શેરીમાં હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે બાઇક લઇને ગયેલા યુવાને પોતાની બાઈક ત્યાં પાર્ક કર્યું હતું જેને લઈ લેવા માટે એક શખ્સે તેને કહ્યું હતું ત્યારે યુવાનને દર્શન કરીને તરત જ નીકળી જાઉં છે તેવું કહેતા તે આરોપીને સારું લાગ્યું હતું માટે તેને ગાળો આપીને માથામાં લાકડી ફટકારી હતી જેથી યુવાનને માથામાં સાત ટાંકા આવ્યા હતા અને યુવાનોને સારવાર લીધા બાદ હાલમાં એક શખ્સની એસએમે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં દરબાર ગઢ અપ્સરા શેરીમાં રહેતા ઘનશ્યામભાઈ કનૈયાલાલ દંગી જાતે કંસારા (ઉંમર ૪૫) ત્યાં હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા ત્યારે તેઓએ હનુમાનજી મંદિર પાસે પોતાનું બાઇક શેરીમાં પાર્ક કર્યું હતું જે બાઇકને લઈ લેવા માટે થઈને ત્યાં દરબારગઢ પાસે રહેતા અનિરુદ્ધસિંહ ઉર્ફે લોલો ગંભીરસિંહ ઝાલાએ કહ્યું હતું અને ત્યારે ઘનશ્યામભાઈએ દર્શન કરીને આવે એટલે તરત નીકળી જશે તેવું કહેતા અનિરુદ્ધસિંહ ઝાલાને સારું નહીં લાગતા તેણે ઘનશ્યામભાઈને ગાળો આપી હતી અને ત્યારબાદ તેના હાથમાં રહેલી લાકડી ઘનશ્યામભાઈને માથામાં કપાળ ઉપર ફટકારી હતી જેથી ઘનશ્યામભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને ટાંકા આવ્યા હતા માટે ઘનશ્યામભાઈસારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અનિરુદ્ધસિંહ ઝાલાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News