મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત મોરબી મહાપાલિકાનમાં જુના જોગીઓના નામ ઉપર કાતર: પ્રથમ મેયર ઉત્તમભાઈ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અઢી વર્ષ હેમખેમ જાય તેની સામે પ્રશ્રાર્થ હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં વધુ એક આરોપી પકડાયો


SHARE











મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં વધુ એક આરોપી પકડાયો

મોરબીમાં યુવાનની સાથે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા યુવાન ઉપર ધરમપુર ગામના પાટિયા પાસે હુમલો કર્યો હતો ત્યારે આરોપી છરી મારવા જતાં ભાગવા ગયેલા યુવાનને મારી નાખવાના ઇરાદે માથામાં લોખંડના સળીયાનો ઘા ઝીંકવામાં આવ્યો હતો જેથી સારવારમાં યુવાનનું મોત નીપજયું હોય બનાવ હત્યામાં પલટાયો હતો આ ગુનામાં અગાઉ એક આરોપીને પકડવામાં આવેલ હતો અને હાલમાં એક આરોપીને પકડવામાં આવેલ છે

મોરબીના ખત્રીવાડ મેઇન રોડ ઉપર રહેતા મૂળ ઉતરપ્રદેશના રહેવાસી મોહીતકુમાર ઉદયભાન સેહગલ જાતે કઠેરીયા (ઉ.૨૨) એ જેતે સમયે દેવેન્દ્રશીંગ ઉર્ફે બીંદુ, આનંદશીંગ સેગલ તથા બીપીન ઉર્ફે બીપી રહે.ત્રણેય વાવડી રોડ, સોમૈયા સોસાયટી મોરબી વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતુ કે, ગત તા.૨૧-૨ ના સાંજના છએક વાગ્યાના અરસામાં મોરબી તાલુકાના કંડલા બાયપાસ રોડ ઉપર ધરમપુર ગામના પાટીયા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં દેવેન્દ્રશીંગ ઉર્ફે બીંદુએ ઉદયસિંગને જાનથી મારી નાખવાના ઇરાદે માથામાં લોખંડના સળીયો માર્યો હતો માટે ઉદયસિંહ પ્રભુદયાલસિંગ (ઉમર ૪૫)ને ઇજા થતાં સારવારમાં ખસેડાયો હતો જયાં સારવાર દરમિયાન ઉદયસિંગનું મોત નીપજ્યું હતુ. અને બનાવ હત્યામાં પલટાયો હતો અને ત્યારબાદ કલમ ૩૦૨ (હત્યા) ની કલમનો ઉમેરો કરીને મુખ્ય આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે બિંદુ છતરસિંહ કલન્દરસિંહ સેહગલ જાતે રાજપૂતની ધરપકડ કરી હતી અને તેને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે અને હત્યાના આ ગુનામાં પીઆઇ વી.એલ.પટેલ દ્વારા પુષ્પેન્દ્ર ઉર્ફે લાલો રાજેન્દ્રસિંહ સેગલ જાતે રાજપૂત (૨૧) રહે, મૂળ યુપી એચએએલ રહે, ગ્રીન ચોક વાળની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં હજુ રામ નરેશ ભદોરીયા નામના શખ્સને પકડવા ચક્રોગતિમાન કરેલ છે






Latest News