ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામેથી સગીરવયની બાળાનું અપહરણ


SHARE













મોરબીના રફાળેશ્વર ગામેથી સગીરવયની બાળાનું અપહરણ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે રહેતા અને મુળ ધ્રાંગધ્રા પંથકના રહેવાસી પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવાતા ભોગ બનનાર સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા હાલમાં તાલુકા પોલીસે શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૂળ ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહેવાસી અને હાલ મોરબી તાલુકાના રફાળેશ્વર નજીક રહેતા પરિવારની સગીર વયની દીકરીનું લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે મૂળ હળવદ તાલુકાના ધુળકોટનો વતની અને હાલ રફાળેશ્વર ગામે રહેતો દિલીપ ઉર્ફે જીગો રવજી સુરેલા જાતે કોળી નામનો ઇસમ અપહરણ કરી ગયો હોય ભોગ બનેલ સગીરાના પિતાએ આ અંગે ફરિયાદ નોંધાવતાં મોરબી તાલુકા પોલીસે કલમ ૩૬૩, ૩૬૬ તેમજ પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધીને ભોગ બનેલી સગીરા અને આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.તાલુકા પીઆઈ વી.એલ.પટેલ તપાસ ચલાવી રહ્યા છે.

મહિલા-બાળક સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગર શેરી નંબર-૧ માં રહેતા નિકીતાબેન હિતેશભાઈ રાઠવા નામની ૪૦ વર્ષીય મહિલાએ ડિપ્રેશનમાં આવી જઈને વધુ પડતી ઉંઘની ગોળીઓ ખાઈ લેતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા બનાવની જાણ થતાં બી ડીવીજન પોલીસ મથકના વી.ડી.મેતાએ આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુટીયા ગામે રહેતા ભીમસિંગભાઈનો દોઢ વર્ષીય દીકરો મનજીત ઘરે રમતો હતો ત્યારે રમતા રમતા હાથમાં દાજી જતા તેને ૧૦૮ વડે સારવાર માટે ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી ત્યાંના રહેવાસી અરવિંદ ચંદુભાઈ હળવદિયા જાતે દેવીપુજક નામના ૨૫ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે હળવદ તાલુકાના ચિત્રોડી ગામના રણછોડભાઈ ધનજીભાઈ ખોખર નામનો ૪૬ વર્ષીય યુવાને પોતાનું મોટરસાયકલ લઈને પીપળી જવા નીકળ્યો હતો ત્યારે ધાંગધ્રા અને કાઠી ગામની વચ્ચે તેના બાઈક સાથે બળદ અથડાતાં ઈજાગ્રસ્ત રણછોડભાઈ ખોખરને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.






Latest News