મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા રામકથા માટે પાલીકાએ સીટીબસ સેવાને કથા સ્થળ સુધી લંબાવી


SHARE















મોરબીના ખોખરા રામકથા માટે પાલીકાએ સીટીબસ સેવાને કથા સ્થળ સુધી લંબાવી

મોરબીના બેલા ગામે આવેલા ખોખરા હનુમાન હરીહરધામ ખાતે મહામંડલેશ્વર પૂજ્ય માઁ કનકેશ્વરીજીના સાનીધ્યમાં શ્રીરામકથાનું આયોજન કરાયેલ છે અને વધુને વધુ લોકો કથા રસપાન કરવાનો લ્હાવો લઇ શકે તે માટે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિ ચેરમેન તથા ચીફ ઓફીસરના સહયોગથી મોરબી નગરપાલિકા સંચાલિત બસ સેવા દ્વારા કથાસ્થળ સુધી પહોંચવા બે બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.જે બસ સવારે ૮ વાગ્યે ગાયત્રીનગર વાવડી રોડેથી ઉપડીને ૮:૧૦ વાગ્યે ભગવતીપરા, ૮:૧૫ એ માધાપર-અંબિકા રોડ, ૮:૨૦ એ રેલ્વે સ્ટેશન, ૮:૨૫ એ વીસીપરા, ૮:૩૦ એ મહારાણા પ્રતાપ ચોક, ૮:૪ ટીંબડી ગામ, ૮:૫૦ લક્ષ્મીનગર, ૮:૫૫ એ ભરતવન ફાર્મ થઇને સવારે ૯ કલાકે બસ કથા સ્થળ ખોખરા હરિહરધામ પહોંચશે.તે રીતે જ બપોરે ભોજન પ્રસાદ બાદ બપોરે ૧:૧૫ કલાકે તે જ રૂટ ઉપરથી બસ પરત મોરબી ફરશે તેમ યાદીમાં જણાવાયેલ છે.

પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર લક્ષ્મીનગર દ્રારા મ્યુઝિકલ નાઈટ

પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર લક્ષ્મીનગર ખાતે કાર્યરત લુઇબ્રેલ વાદ્યવૃન્દ ઓર્કેસ્ટ્રા ગ્રુપ દ્રારા આગામી તા.૧૭-૪ ના રોજ રાતે નવ વાગ્યે સ્વાગત હોલ રવાપર ચોકડી રવાપર રોડ મોરબી ખાતે બૉલીવુડ મ્યુઝિકલ નાઈટનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.જેમા મોરબીવાસીઓને ખાસ નમ્ર વિનંતી સાથે અપીલ કરાયેલ છેકે ગ્રુપનો ઉત્સાહ વધારવા બહોળી સંખ્યામાં હાજરી આપશો.મોરબીવાસીઓના સાથ સહકારથી જ આ કાર્યક્રમ સફળ થશે.વધુ માહિતી માટે હાતિમભાઇ રંગવાલા (મો.94299 78930) અથવા સિધ્ધાર્થભાઇ જોષી (મો.92288 97372) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News