માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

હળવદના રાયસંગપુર પાસે ટ્રેકટર પલટી મારી જતાં બે મહિલાના મોત : બે વ્યક્તિઓને ઇજા થતાં સારવારમાં ખસેડાયા


SHARE













હળવદના રાયસંગપુર પાસે ટ્રેકટર પલટી મારી જતાં બે મહિલાના મોત : બે વ્યક્તિઓને ઇજા થતાં સારવારમાં ખસેડાયા

હળવદ તાલુકાના રાયસંગપુર તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતુ ટ્રેક્ટર ડ્રાઇવરની બેદરકારીના કારણે પલ્ટી મારી ગયું હતું જેથી કરીને ટ્રેક્ટરમાં બેઠેલ બે મહિલાઓના મોત નિપજ્યા હતા અને તે વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં આ બનાવ અંગે ટ્રેક્ટરમાં બેઠેલા યુવાને ટ્રેકટરચાલકની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં ધાંગધ્રા કલ્પના હોટલ પાસે રહેતા વેરસીંગભાઇ કિશનભાઇ રાઠવા (ઉંમર ૨૭) એ ટ્રેક્ટર નંબર જીજે ૧૩ એમ ૫૩૧૨ ના ચાલક પ્રકાશભાઈ લીંબાભાઇ ઓડેદરા (ઉમર ૨૯) રહે.ઓડેદર પોરબંદરની સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેમણે જણાવ્યું છે કે, હળવદ રાયસંગપુર રોડ ઉપરથી ટ્રેક્ટર લઈને પ્રકાશભાઈ સહીતનાઓ જઇ રહ્યા હતા ત્યારે પ્રકાશભાઇએ બેફીકરાઇપુર્વક વાહન હંકારતા ટ્રેકટરના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર રોડ સાઇડમાં પલ્ટી મારી ગયું હતું જેથી કરીને ટ્રેક્ટરમાં બેઠેલા ફરિયાદી વેરશીભાઈ રાઠવાને શરીરે ઈજાઓ થઈ હતી તેમજ તે ટ્રેક્ટરમાં બેઠેલા અનિતાબેન (ઉંમર વર્ષ ૩૦) અને લલીતાબેન (ઉંમર વર્ષ ૧૯) ટ્રેકટર હેઠળ દબાઇ જતા શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી બંનેના મોત નિપજયા હતા.જોકે ટ્રેક્ટર ડ્રાઇવર પ્રકાશભાઇ ઓડેદરાને પણ ગોઠણ અને શરીરે નાનીમોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.હાલમાં વેરસિંગભાઇની ફરિયાદના આધારે પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના લક્ષ્મીનગર ગામનો રહેવાસી દીપક ભરતભાઇ ભંખોડીયા નામનો ૨૦ વર્ષીય યુવાન મોરબી-રાજકોટ હાઇવે ઉપરના ટંકારા તાલુકામાં આવેલ ધ્રુવનગર પાસે હતો ત્યાં સાથે તેનું બાઈક બસ સાથે અથડાતાં ઈજાગ્રસ્ત દિપક ભંખોડીયાને સારવાર માટે અહીંની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર મકનસર નજીકના પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા શાંતાબેન નાથાભાઈ શ્રીમાળી નામની ૪૫ વર્ષીય મહિલાને ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેણીને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા ગીતાબેન પ્રદીપભાઈ કોલાદ્રા નામની ૩૫ વર્ષીય મહિલાને નીચીમાંડલ પાસેથી જતા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા થયેલ અકસ્માતમાં ઇજાઓ થતા તેઓને પણ સારવાર માટે મોરબી ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળેલ છે.






Latest News