માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા ગામે જુગાર રમતા ચાર શખ્સો ૧૨ હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા


SHARE













મોરબીના ખરેડા ગામે જુગાર રમતા ચાર શખ્સો ૧૨ હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા

મોરબી તાલુકાના ખરેડા ગામે કોળીવાસમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની તાલુકા પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી ત્યારે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હોય પોલીસે ૧૨ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને ચારેયની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના ખરેડા ગામે અમુક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ખરેડા ગામે આવેલ કોળીવાસમાં જુગારની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા દયારામભાઈ શામજીભાઈ પાડલીયા પટેલ (૬૮) પ્રજ્ઞેશભાઈ મુકુંદભાઈ પંડ્યા બ્રાહ્મણ (૫૨), રમેશભાઈ ચકુભાઈ ચાડમીયા પટેલ (૫૦) અને મનસુખભાઈ ઉર્ફે બાબુભાઈ જેસંગભાઈ કુગસીયા આહીર (૪૫) રહે.બધા ખરેડા જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૨ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ચારેયની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રવાપર ગામે બોનીપાર્ક વિસ્તારમાં જાનકી પેલેસમાં રહેતો દીપેશ ભાણજીભાઈ જેતપરીયા નામનો યુવાન વિશાલ ફર્નિચર પાસેથી બાઈકમાં જતો હતો ત્યાં તેનું બાઈક અન્ય બાઈક સાથે અથડાતા ઇજાઓ થવાથી દીપેશ જેતપરીયાને સારવાર માટે ખસેડાયો હતો.મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા સરતાનપર રોડ ઉપર લાટો સિરામિક નજીક બે બાઇક સામસામે અથડાયા હતા જે બનાવમાં મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા વિરલ ઠાકરશીભાઈ મેસવાડા (ઉમર ૨૪) અને વિરેન્દ્રસિંહ રામઅધિકારીસિંહ ચૌધરી (ઉમર ૬૨) રહે.મોટો સિરામિક સરતાનપર રોડ તાલુકો વાંકાનેર વાળાઓને ઈજાઓ થતાં બંનેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.






Latest News