મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં તા.૨૬ ના શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે


SHARE













મોરબીમાં તા.૨૬ ના શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે

વૈશ્વાનર વિભુ જગદગુરુ શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી ૫૪૫ મો પ્રાગટ્ય મહોત્સવ ચૈત્ર વદી અગિયારસને મંગળવાર તા.૨૬ મી એપ્રિલના રોજ ભારત અને વિશ્વના કરોડો વૈષ્ણવો હોંશભેર ઉજવશે.શ્રી મહાપ્રભુજીએ વિશ્વને વૈષ્ણવતાની દીક્ષા આપી બ્રહ્મ સાથે સંબંધ બંધાવી જગતને શ્રીકૃષ્ણ શરણં મમઃ નો અદભુત મંત્ર આપી વિશ્વને સેવા અને સ્મરણના પુષ્ટિપંથ પર વિહરતુ કર્યુ છે.પ્રતિવર્ષની પરંપરા અનુસાર મોરબીમાં શ્રી મહાપ્રભુજીના ૮૪ બેઠકજીમાંના એક મયુરપૂરી મોરબીના બેઠકજીમાં હષોલ્લાસપૂર્વક આ પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે.તે નિમિત્તે મોરબી મહાપ્રભુજીની બેઠક માં ઝારી ચરણસ્પર્શ સવારે ૭ વાગ્યાથી મધ્યાહન ૧ વાગ્યા સુધી થશે.જાગ્યાના દર્શન સવારે ૭ કલાકે, મંગળાદર્શન સવારે ૭:૩૦ કલાકે, શ્રીંગાર દર્શન સવારે ૮ કલાકે, રાજભોગ દર્શન બપોરે ૧ કલાકે, તિલક દર્શન તથા નંદ મહોત્સવ બપોરે ૩ કલાકે થશે, સાંજના દર્શન ૭ કલાક સુધી થશે તેમ જણાવીને બેઠકજીના ટ્રસ્ટી અને મોરબી વૈષ્ણવ સમાજના મુખ્યાજી અતુલભાઈ ભટ્ટે વૈષ્ણવ સમાજને મહોત્સવમાં જોડાવા અનુરોધ કરેલ છે.






Latest News