મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક તરીકે દેવેન રબારીની વરણી


SHARE











મોરબી શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક તરીકે દેવેન રબારીની વરણી

મોરબી સમસ્ત મચ્છુકાંઠાના  રબારી સમાજના યુવાનોના ઉત્થાન માટે શ્રી વડવાળા યુવા સંગઠન સક્રિય છે આ સંગઠનના મુખ્ય સંયોજક તરીકે દેવેનભાઈ રબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે ત્યારે તેમણે રબારી સમાજમાં શૈક્ષણિકસામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી જાગૃતિ લાવવા પર ભાર મુક્યો હતો અને આગામી સમયમાં માલધારી સમેલનનું આયોજન  કરવાનું પણ જણાવ્યું છે

મોરબીના શ્રી વડવાળા યુવા સંગઠનની તાજેતરમાં અષાઢી બીજના પાવન અવસરે મોરબીના અયોધ્યા પુરી રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે કોરોબારી બેઠક મળી હતી. જેમાં શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક તરીકે દેવેનભાઈ રબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી અને કારોબારીમાં ૭૧ સભ્યોની નિમણુંક કરવામાં આવી છે આ પ્રસંગે રબારી સમાજના અગ્રણીઓ સોહનભાઈ રગીયામોતીભાઈ કરોતરારાયમલભાઈ રબારીભરતભાઇ રબારીહીરાભાઈ ખાંભલાધારાભાઈ ટમાંરિયા સહિતના યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને દેવેનભાઈની વરણીને આવકારી હતી.

આ તકે દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કેરબારી સમાજમાં જે મને મોભાદાર પદ સાથે જવાબદારી સોપી છે અને સમાજે મારા ઉપર જે વિશ્વાસ મુક્યો છે. તેના પુરી નિષ્ઠાની નિભાવીશ. તેમજ રબારી સમાજમાં ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રે ઉતરોતર વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહીશ અને શૈક્ષણિકસામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સમાજમાં જાગૃતિ લાવવા માટેના તેમના દ્વારા પ્રયાસો કરવામાં આવસે અને આગામી સમયમાં માલધારી સંમેલનનું આયોજન કરવામાં આવશે






Latest News